ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર, ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા ચંદ્રચૂડ
January 18, 2026
જેલમાંથી નિર્દોષ છૂટનારના કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી
જયપુર- જયપુર સાહિત્ય ઉત્સવમાં રવિવારે હાજરી આપતા દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવો તેનો મૂળભૂત અધિકાર હોવો જોઈએ. એક વરિષ્ઠ પત્રકારના પ્રશ્નના ઉત્તરમાં તેમણે આ વાત કહી હતી, જેમાં દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉમર ખાલિદના જામીન નકારવા અંગે ચર્ચા થઈ હતી.
પૂર્વ CJIએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ પાંચ કે સાત વર્ષ જેલમાં રહ્યા બાદ નિર્દોષ છૂટે, તો તેના જીવનના એ કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી. જામીન ત્યારે જ નકારી શકાય જ્યારે આરોપી ફરી ગુનો કરે તેવી શક્યતા હોય, પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ હોય અથવા કાયદાથી ભાગી જવાનો ભય હોય. જો ન્યાયિક પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થતો હોય, તો આરોપીને જામીન મળવા જ જોઈએ.’ ચંદ્રચૂડે વધુમાં કહ્યું કે, ‘જો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય તો અદાલતોએ કેસની ઊંડી તપાસ કરવી જોઈએ, જેથી કોઈ વ્યક્તિ કારણ વગર વર્ષો સુધી જેલમાં ન સબડે.’ તેમણે જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજીઓ નકારવાના વલણને ચિંતાનો વિષય ગણાવ્યો હતો, જેના કારણે સુપ્રીમ કોર્ટમાં કેસોનું ભારણ વધે છે.
ચંદ્રચૂડે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે તેમના કાર્યકાળમાં લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે માત્ર હિન્દી જ નહીં પરંતુ બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. નિવૃત્તિ બાદના જીવન અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ હાલ ખાનગી જીવનનો આનંદ માણી રહ્યા છે અને કોઈ નવો હોદ્દો સ્વીકારવા માંગતા નથી.
Related Articles
AI સમિટનું સમાપન, પીએમ મોદીએ કહ્યું, ટેકનોલોજીમાં યુવા પ્રતિભાની વિચારસરણી માનવતા માટે ફાયદાકારક સાબિત થશે
AI સમિટનું સમાપન, પીએમ મોદીએ કહ્યું, ટેક...
Feb 23, 2026
કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું, વિસ્તરણથી ક્ષમતા 13.1 મિલિયન
કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્...
Feb 23, 2026
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ બાળ જાતીય શોષણના કેસની તપાસ કરાઇ શરૂ
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુ...
Feb 23, 2026
ગૌતમ અદાણીની ઝારખંડ-બિહાર મુલાકાત, 40,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા
ગૌતમ અદાણીની ઝારખંડ-બિહાર મુલાકાત, 40,00...
Feb 23, 2026
ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં ટ્વિસ્ટ, બંને દેશો વચ્ચેની બેઠક ટળી
ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં ટ્વિસ્...
Feb 22, 2026
ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, ઘૂસણખોરીનો પ્રયાસ થતાં હથિયારધારી ઠાર
ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, ઘૂસણખોરીનો પ્રય...
Feb 22, 2026
Trending NEWS
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
22 February, 2026
21 February, 2026