Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

I.N.D.I.A બ્લોકમાં ડખાઃ સપા બાદ બીજો એક પક્ષ પણ છેડો ફાડવાની તૈયારીમાં

December 15, 2024

દિલ્હી : I.N.D.I.A બ્લોકમાં એક પછી એક પક્ષ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાજકીય ગઠબંધ મહા વિકાસ અઘાડીમાં સપા સાથે વિખવાદ બાદ વધુ એક મહત્ત્વપૂર્ણ સહયોગીએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારીમાં હોય તેવો સંકેત આપ્યો છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાહે ઈવીએમ પર કોંગ્રેસ પક્ષના વિરોધને ફગાવતાં સલાહ આપી છે કે, ઈવીએમ માટે રડવાનું બંધ કરો, જે પરિણામ આવ્યા તેનો સ્વીકાર કરો.
મીડિયા ઈન્ટરવ્યૂમાં અબ્દુલ્લાહે કહ્યું કે, 'જ્યારે તમારા 100થી વધુ સાંસદો એક જ ઈવીએમથી ચૂંટાય છે, ત્યારે તમે તેને તમારા પક્ષની જીત તરીકે ઉજવો છો, બાદમાં થોડા મહિનાઓ પછી ફરી પાછો આક્ષેપ કરો છો કે, અમને ઈવીએમ દ્વારા મતદાન કરવું પસંદ નથી, કારણ કે હવે ચૂંટણીના પરિણામો તમારી ઈચ્છા વિરૂદ્ધ આવ્યા છે.’
ઓમર અબ્દુલ્લાહની આ ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે મેળ ખાય છે. ભાજપ પણ આ જ સલાહ આપે છે કે જ્યારે વિપક્ષ જીતે છે ત્યારે તેઓ ઈવીએમને સારું માને છે અને જ્યારે તેઓ હારે છે ત્યારે દોષનો ટોપલો ઈવીએમ પર ઢોળે છે. આ નિવેદનથી રાજકીય વિશ્લેષકો અંદાજ લગાવી રહ્યા છે કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વધ્યો છે.
તેમણે કહ્યું કે પાર્ટી લાઇનને અનુસરવાને બદલે હું સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાનું પસંદ કરૂ છું. મારી સ્વતંત્ર વિચારસરણીનું ઉદાહરણ સેન્ટ્રલ વિસ્ટા જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મારૂ સમર્થન છે. મને લાગે છે કે સેન્ટ્રલ વિસ્ટા દિલ્હીમાં ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. હું માનું છું કે નવી સંસદ ભવનનું નિર્માણ એક તેજસ્વી વિચાર હતો. અમારે સંસદની નવી ઇમારતની જરૂર હતી. અગાઉની સંસદની ઇમારત જૂની હતી અને વર્તમાન જરૂરિયાતો માટે યોગ્ય નહોતી.