ભારતે પાકિસ્તાનમાં 200 કિ.મી. અંદર સુધી 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કરી દીધા
May 10, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તૈનાતી વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે રાત્રે 1:40 વાગ્યે પાકિસ્તાની હાઇસ્પિડ મિસાઇલ પંજાબના એસબેઝ સ્ટેશન પર છોડવામાં આવી હતી, જેને નષ્ટ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનોએ પાકિસ્તાનની 6 જગ્યાએ હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરૈશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન કર્નલ સોફિયા કુરૈશીએ એક-એક કરી પાકિસ્તાનના ખોટા દાવાની પોલી ખોલી હતી.
કર્નલ સોફિયા કુરૈશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, 'પાકિસ્તાને બોર્ડર પર તેજીથી ગોળીબાર શરૂ રાખ્યો છે. ડ્રોન અને ફાઇટર જેટનો ઉપયોગ કરી નાગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. ભારતે જવાબી હુમલા કર્યા છે. પાકિસ્તાની સેનાએ અગ્રીમ વિસ્તારમાં સૈનિકોની તૈનાતી વધારી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ કરે છે. ભારતે અત્યાર સુધી સંયમ સાથે પાકિસ્તાની દરેક હરકતોનો વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેના તણાવ વધારવા નથી ઇચ્છતી પરંતુ શરત એટલી જ છે કે સામે પાકિસ્તાન પણ આવું જ વલણ અપનાવે.'
પાકિસ્તાનના હુમલાનો ભારતે સુનિયોજિત જવાબ રૂપે રડાર સાઇટ, હથિયાર ભંડારને નિશાનો બનાવવામાં આવ્યો છે. જેમાં રફિકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, સુક્કૂર, ચુનિયાનમાં પાકના સૈન્ય ઠેકાણા પર એર લોન્ચ અને ફાઈટર જેટ પર પ્રહાર કર્યા છે. પરસૂર રડાર સાઇટ અને સિયાલકોટના એવિએશન બેઝને ભારતીય સેનાએ ટાર્ગેટ કર્યું. આ કાર્યવાહી ઓછામાં ઓછા કોલેટ્રલ ડેમેજની સાથે કરવામાં આવી હતી. પાકિસ્તાને લાહોરમાં ઉડાન ભરનારા નાગરિક વિમાનોની આડમાં આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગનો દુરુપયોગ કર્યો જેથી તે પોતાની ગતિવિધિઓને સંતાડી શકે. આવી ચાલને ભારતીય વાયુ પ્રતિરક્ષા તંત્રને વધુમાં વધુ સંયમ સાથે કાર્ય કરવા મજબૂર કર્યું.
Related Articles
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં : ભારત
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણ...
May 10, 2025
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભ...
May 10, 2025
ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલી નાખ્યા
ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર...
May 10, 2025
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નાર...
May 10, 2025
પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો: સત્તાવાર નિવેદન
પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલા...
May 10, 2025
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્...
May 10, 2025
Trending NEWS

10 May, 2025