બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારતીય સેનાનું મોટું ઓપરેશન
May 07, 2025

પાકિસ્તાનનું બહાવલપુર ભારતના હવાઈ હુમલાનું નિશાન કેમ બન્યું? પાકિસ્તાનનું ૧૨મું સૌથી મોટું શહેર, બહાવલપુર, જૈશ-એ-મોહમ્મદનો ગઢ છે. આ શહેર લાહોરથી લગભગ ૪૦૦ કિમી દૂર છે અને જૈશનું મુખ્ય મથક 'જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ' કેમ્પસમાં આવેલું છે, જેને ઉસ્માન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેમ્પસ ૧૮ એકરમાં ફેલાયેલો છે અને તે જૈશ માટે ભરતી, ભંડોળ અને તાલીમનું કેન્દ્ર છે. ભારતીય હુમલામાં પણ આ મસ્જિદ નિશાને હતી. જૈશના સ્થાપક મૌલાના મસૂદ અઝહર બહાવલપુરના રહેવાસી છે.
ભારતીય સશસ્ત્ર દળોએ રાતોરાત એક ઓપરેશનમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ડીજી આઈએસપીઆરએ કોટલી, મુરીદકે અને બહાવલપુર સહિત નવ સ્થળોએ ભારતીય હુમલાઓની પુષ્ટિ કરી છે. તેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે, જેનું મુખ્ય લક્ષ્ય જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) અને લશ્કર-એ-તૈયબા જેવા જેહાદી ઠેકાણા હતા, જે છેલ્લા ત્રણ દાયકાથી ભારત પર મોટા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે.
Related Articles
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ, તમામ પક્ષોએ ભારતીય સેનાના વખાણ કર્યાં
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક પૂર્ણ,...
May 08, 2025
ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત
ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિક...
May 08, 2025
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત...
May 07, 2025
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂ...
May 07, 2025
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપર...
May 07, 2025
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે : રાહુલ ગાંધી
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્...
May 07, 2025
Trending NEWS

07 May, 2025

07 May, 2025