Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

AAP છોડીને BJPમાં સામેલ કૈલાશ ગેહલોત

November 19, 2024

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર કૈલાશ ગેહલોત આજે ભાજપમાં જોડાયા છે. તેમણે ભાજપ મુખ્યાલય ખાતે સત્તાવાર રીતે ભાજપનું સભ્યપદ લીધું હતું.કૈલાશ ગેહલોતે ભાજપના નેતાઓ મનોહર લાલ ખટ્ટર, દુષ્યંત ગૌતમ અને હર્ષ મલ્હોત્રાની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. ભાજપમાં જોડાયા બાદ ગેહલોતે કહ્યું કે આમ આદમી પાર્ટી છોડવી સરળ નથી. મેં આ નિર્ણય રાતોરાત લીધો નથી.

ગેહલોતે કહ્યું કે જે લોકો આ નિવેદન કરી રહ્યા છે કે મેં કોઈના દબાણમાં આ નિર્ણય લીધો છે, તો તે ખોટું છે. આજ સુધી મેં ક્યારેય કોઈના દબાણમાં કોઈ કામ કર્યું નથી. 2015થી મારી રાજકીય કારકિર્દીમાં મેં ક્યારેય કોઈના દબાણમાં આવીને કંઈ કર્યું નથી. આ એક ગેરસમજ છે.