'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાયો, VIP લોકોને ખાસ સુવિધા અપાઈ રહી છે', CM મમતા બેનર્જીની ટિપ્પણી
February 18, 2025

પ્રયાગરાજ : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની નાસભાગની ઘટનાઓનો હવાલો આપતાં મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યો. તેમણે કહ્યું કે વીઆઈપીને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં બદલાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે.' ન માત્ર મમતા બેનર્જી પરંતુ વિપક્ષના ઘણા નેતાએ મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી પર નિશાન સાધ્યું છે અને અવ્યવસ્થાનો આરોપ લગાવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'તમારે આ પ્રકારના મોટા આયોજનનું પ્લાનિંગ કરવું જોઈતું હતું. નાસભાગની ઘટના બાદ કેટલા પંચ કુંભ મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા. તે કહેશે કે લોકોના મૃત્યુ હાર્ટ એટેક આવવાથી થયા અને તેમને વળતર આપવામાં આવશે નહીં.'
તેમણે વધુમાં કહ્યું કે, 'તમે દેશને વહેંચવા માટે ધર્મ વેચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યાં કેમ કે તમે ડેથ સર્ટિફિકેટ કર્યાં વિના મૃતદેહો મોકલી દીધા. આ લોકોને વળતર કેવી રીતે મળે.' આ અગાઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, 'શાસ્ત્રોમાં ક્યાંય પણ 144 વર્ષ બાદ કુંબ આવવાનો ઉલ્લેખ નથી, જો છે તો આ લોકો જણાવે.'
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, 'સરકારના રૂપિયાનો દુરુપયોગ પીઆર માટે કરવામાં આવ્યો છે. આવી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. અવ્યવસ્થાઓની બોલબાલા છે. સરકાર સનાતન ધર્મનો દેખાવો કરીને લોકોની આસ્થાની સાથે રમત રમી રહી છે. સરકારનો વાસ્તવિક હેતું જનતાના વિશ્વાસને તોડવાનો છે. આ લોકોનો આસ્થા સાથે કોઈ સંબંધ નથી.'
Related Articles
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમા...
Jul 12, 2025
ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે, વલસાડ કલેક્ટરનો મોટો નિર્ણય
ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો કોન્ટ્રાક...
Jul 12, 2025
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR, ફડણવીસે ટીકા કરી
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગા...
Jul 11, 2025
હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન
હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભ...
Jul 10, 2025
Trending NEWS

11 July, 2025

11 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025