'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાયો, VIP લોકોને ખાસ સુવિધા અપાઈ રહી છે', CM મમતા બેનર્જીની ટિપ્પણી
February 18, 2025

પ્રયાગરાજ : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની નાસભાગની ઘટનાઓનો હવાલો આપતાં મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યો. તેમણે કહ્યું કે વીઆઈપીને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં બદલાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે.' ન માત્ર મમતા બેનર્જી પરંતુ વિપક્ષના ઘણા નેતાએ મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી પર નિશાન સાધ્યું છે અને અવ્યવસ્થાનો આરોપ લગાવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'તમારે આ પ્રકારના મોટા આયોજનનું પ્લાનિંગ કરવું જોઈતું હતું. નાસભાગની ઘટના બાદ કેટલા પંચ કુંભ મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા. તે કહેશે કે લોકોના મૃત્યુ હાર્ટ એટેક આવવાથી થયા અને તેમને વળતર આપવામાં આવશે નહીં.'
તેમણે વધુમાં કહ્યું કે, 'તમે દેશને વહેંચવા માટે ધર્મ વેચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યાં કેમ કે તમે ડેથ સર્ટિફિકેટ કર્યાં વિના મૃતદેહો મોકલી દીધા. આ લોકોને વળતર કેવી રીતે મળે.' આ અગાઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, 'શાસ્ત્રોમાં ક્યાંય પણ 144 વર્ષ બાદ કુંબ આવવાનો ઉલ્લેખ નથી, જો છે તો આ લોકો જણાવે.'
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, 'સરકારના રૂપિયાનો દુરુપયોગ પીઆર માટે કરવામાં આવ્યો છે. આવી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. અવ્યવસ્થાઓની બોલબાલા છે. સરકાર સનાતન ધર્મનો દેખાવો કરીને લોકોની આસ્થાની સાથે રમત રમી રહી છે. સરકારનો વાસ્તવિક હેતું જનતાના વિશ્વાસને તોડવાનો છે. આ લોકોનો આસ્થા સાથે કોઈ સંબંધ નથી.'
Related Articles
પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત્વના સમાચાર, આ દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા પડશે
પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત...
Mar 11, 2025
આ બૅન્કના શેરમાં એક ઝાટકે 25%નો કડાકો, હિસાબમાં ગોટાળાનો આરોપ
આ બૅન્કના શેરમાં એક ઝાટકે 25%નો કડાકો, હ...
Mar 11, 2025
દુનિયાના ટોપ-20 પ્રદૂષિત શહેરોમાં 11 ભારતના, આ શહેર તો દિલ્હીથી પણ આગળ
દુનિયાના ટોપ-20 પ્રદૂષિત શહેરોમાં 11 ભાર...
Mar 11, 2025
બિહારમાં તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાં 20 જ મિનિટમાં 25 કરોડથી વધુના દાગીનાની લૂંટ
બિહારમાં તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાં 20 જ મ...
Mar 11, 2025
વાધવન બંદરને લઈને સરકારે કરી મોટી જાહેરાત, '2030 સુધીમાં થશે કાર્યરત'
વાધવન બંદરને લઈને સરકારે કરી મોટી જાહેરા...
Mar 11, 2025
ભૂપેશ બઘેલના ઘરની બહાર નીકળતા ED અધિકારીઓ પર સમર્થકોએ ફેંક્યા પથ્થરો
ભૂપેશ બઘેલના ઘરની બહાર નીકળતા ED અધિકારી...
Mar 11, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

10 March, 2025

10 March, 2025