'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાયો, VIP લોકોને ખાસ સુવિધા અપાઈ રહી છે', CM મમતા બેનર્જીની ટિપ્પણી
February 18, 2025
પ્રયાગરાજ : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની નાસભાગની ઘટનાઓનો હવાલો આપતાં મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યો. તેમણે કહ્યું કે વીઆઈપીને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં બદલાઈ ચૂક્યો છે. વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે.' ન માત્ર મમતા બેનર્જી પરંતુ વિપક્ષના ઘણા નેતાએ મહાકુંભને લઈને મુખ્યમંત્રી યોગી પર નિશાન સાધ્યું છે અને અવ્યવસ્થાનો આરોપ લગાવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ કહ્યું, 'તમારે આ પ્રકારના મોટા આયોજનનું પ્લાનિંગ કરવું જોઈતું હતું. નાસભાગની ઘટના બાદ કેટલા પંચ કુંભ મોકલવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહોને બંગાળ મોકલી દેવાયા. તે કહેશે કે લોકોના મૃત્યુ હાર્ટ એટેક આવવાથી થયા અને તેમને વળતર આપવામાં આવશે નહીં.'
તેમણે વધુમાં કહ્યું કે, 'તમે દેશને વહેંચવા માટે ધર્મ વેચો છો. અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યાં કેમ કે તમે ડેથ સર્ટિફિકેટ કર્યાં વિના મૃતદેહો મોકલી દીધા. આ લોકોને વળતર કેવી રીતે મળે.' આ અગાઉ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે મહાકુંભને લઈને યુપી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે, 'શાસ્ત્રોમાં ક્યાંય પણ 144 વર્ષ બાદ કુંબ આવવાનો ઉલ્લેખ નથી, જો છે તો આ લોકો જણાવે.'
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, 'સરકારના રૂપિયાનો દુરુપયોગ પીઆર માટે કરવામાં આવ્યો છે. આવી સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. અવ્યવસ્થાઓની બોલબાલા છે. સરકાર સનાતન ધર્મનો દેખાવો કરીને લોકોની આસ્થાની સાથે રમત રમી રહી છે. સરકારનો વાસ્તવિક હેતું જનતાના વિશ્વાસને તોડવાનો છે. આ લોકોનો આસ્થા સાથે કોઈ સંબંધ નથી.'
Related Articles
આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: ભારતમાં બપોરે 3:20થી સાંજે 6:46 સુધી ગ્રહણ, ગુજરાતમાં અંશતઃ જ દેખાશે
આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: ભારતમાં બપ...
Mar 03, 2026
રાજસ્થાન સરકારે માઉન્ટ આબુ સહિત ત્રણ શહેરોનાં નામ બદલ્યાં
રાજસ્થાન સરકારે માઉન્ટ આબુ સહિત ત્રણ શહે...
Mar 03, 2026
ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધતાં કાશ્મીરમાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ
ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધતાં કાશ્મીરમાં...
Mar 03, 2026
મુંબઈમાં ATSની મોટી કાર્યવાહી, ISISના પ્રચાર મામલે ત્રણ જગ્યાએ દરોડા
મુંબઈમાં ATSની મોટી કાર્યવાહી, ISISના પ્...
Mar 03, 2026
ખામેનેઈના મૃત્યુથી લખનઉથી શ્રીનગર સુધી વિરોધ-પ્રદર્શનો
ખામેનેઈના મૃત્યુથી લખનઉથી શ્રીનગર સુધી વ...
Mar 03, 2026
રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો, ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને 'એક્સ્ચેન્જ ઓફર'
રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો, ખડગેની ખુર...
Mar 03, 2026
Trending NEWS
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026