ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક: એકસાથે 500થી વધુ લોકો આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો
September 03, 2025

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કંથરપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા અને બે વાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ ભાજપ સાથે છેડો ફાડી પોતાના સમર્થકો સાથે આપનો ખેસ ધારણ કર્યો હતો.
આ સાથે સાથે આજુબાજુ ગામના માજી સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને કંથરપુરા, મરસણ, વાસણ, વીરપુર, રેગણ કોલોની, વડીયા ટેકરા, ઘાણીખોર, ડાભેડ, કાટકોઈ, વ્યાધર જેવા આજુબાજુના ગામોમાંથી યુવાઓ અને ગામના વડીલોએ પણ ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડ્યો અને 500થી પણ વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાની વિચારધારા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ, પાર્ટીની વિચારધારા અને પાર્ટીએ જે કામગીરી છે તેનાથી પ્રેરિત થઈને આ તમામ નેતાઓ આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગણતરીના મહિનાઓમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીને પૂરો વિશ્વાસ છે કે આવનારી આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે અને ગુજરાતની રાજનીતિને નવો વળાંક આપશે.
Related Articles
બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર
બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામા...
Sep 03, 2025
સુરતમાં નવું કૌભાંડઃ શાહ દંપતીએ 100 દિવસમાં 15 ટકાના વળતરની લાલચે કરોડોનું ફૂલેકું ફેરવ્યું
સુરતમાં નવું કૌભાંડઃ શાહ દંપતીએ 100 દિવસ...
Sep 03, 2025
અંબાજીમાં શ્રદ્ધાળની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
અંબાજીમાં શ્રદ્ધાળની હેલી, બીજા દિવસે 3....
Sep 03, 2025
પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો નદીમાં ડૂબ્યા, એકનું મોત
પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન...
Sep 02, 2025
ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી...
Sep 02, 2025
કોમનવેલ્થની મેજબાની કોને મળશે? અમદાવાદને ટક્કર આપવા નાઈજીરિયા મેદાનમાં, અબુજાના નામનો પ્રસ્તાવ
કોમનવેલ્થની મેજબાની કોને મળશે? અમદાવાદને...
Sep 02, 2025
Trending NEWS

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

02 September, 2025