હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ CM સિદ્ધારમૈયાની જાહેરાત
July 26, 2026
બેંગ્લોર : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજકારણમાં મોટી જાહેરાત કરી છે કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી નહીં લડે. મંડ્યામાં આપેલા નિવેદન અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમણે પોતાના ભવિષ્ય અને રાજકીય નિવૃત્તિ અંગે સ્પષ્ટતા કરી છે. તેમની આ જાહેરાત બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, 'હું 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડું. હું હવે 79 વર્ષનો થઈ ગયો છું. આપણી સરકારનો કાર્યકાળ હજુ દોઢ વર્ષ બાકી છે, ત્યાં સુધીમાં હું 81-82 વર્ષનો થઈ જઈશ. મારું સ્વાસ્થ્ય હવે પહેલા જેવું રહ્યું નથી. હવે મારા માટે પહેલા જેવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરવું શક્ય નથી.' રાજકીય નિવૃત્તિનો સંકેત આપતાં તેમણે કહ્યું હતું કે, 'આજે રાજકારણમાં ભ્રષ્ટાચાર આવી ગયો છે. ઈમાનદાર રાજકારણ માટે હવે કોઈ જગ્યા બચી નથી. પહેલાં જ્યારે હું ચૂંટણી લડતો હતો, ત્યારે વિસ્તારના લોકો અમને પૈસા આપતા અને અમારી જીત સુનિશ્ચિત કરતા હતા. પરંતુ આજે એવી સ્થિતિ રહી નથી. હવે જો આપણે ચૂંટણી લડીએ તો લોકોને પૈસા આપવા પડે છે. આ જ વાતાવરણને જોઈને મેં ભવિષ્યમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.' પોતાના રાજકીય જીવનને યાદ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, '2028 સુધીમાં મારા રાજકીય જીવનના 50 વર્ષ પૂરા થઈ જશે. મેં 1978માં તાલુકા બોર્ડના સભ્ય તરીકે મારી રાજકીય સફર શરૂ કરી હતી. મેં હાર અને જીત બંને જોઈ છે, પરંતુ મને એ વાતનો સંતોષ છે કે મેં ક્યારેય મારા સિદ્ધાંતો વિરુદ્ધ કામ નથી કર્યું. પચાસ વર્ષ સુધી રાજ્યના લોકોએ મને પોતાના ગણીને પ્રેમ આપ્યો છે, જેનું દેવું હું મરતાં દમ સુધી ચૂકવી શકીશ નહીં. તેથી મારૂં બાકીનું જીવન પણ જનસેવાને જ સમર્પિત રહેશે.'
Related Articles
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જાહેરાત
પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી, ધર...
Jul 26, 2026
‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું કરશે CJP? આશુતોષ રાંકાએ બતાવ્યો પ્લાન
‘હવે દેશભરમાં...’ આંદોલન ખતમ થયા બાદ શું...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશંસા… જાણો નવા શિક્ષણ મંત્રીએ શું કહ્યું
ધર્મેન્દ્ર પ્રધાનના વખાણ, PM મોદીની પ્રશ...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મં...
Jul 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું, વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી કેન્દ્ર સરકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી...
Jul 25, 2026
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બાદ અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ, શ્રદ્ધાળુઓમાં ખુશી
જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બ...
Jul 25, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026