Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

હરિદ્વાર અર્ધ કુંભમાં 105 ઘાટ પર માત્ર હિંદુઓને જ એન્ટ્રીની તૈયારી

January 06, 2026

ઉત્તરાખંડ સરકાર 2027ના અર્ધ કુંભ મેળાને જોતા અપેક્ષાએ હરિદ્વારના ગંગા ઘાટમાં બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક નિયમો પર વિચાર કરી રહી છે. 105 ઘાટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અને હરિદ્વાર-ઋષિકેશને સનાતન પવિત્ર શહેરો તરીકે જાહેર કરવાના પ્રસ્તાવો ચાલી રહ્યા છે. સરકારનો ઉદ્દેશ્ય ભીડ નિયંત્રણ, સુરક્ષા અને ધાર્મિક પવિત્રતા જાળવવાનો છે.

અર્ધ કુંભ મેળાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર હરિદ્વાર ક્ષેત્રમાં ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ અંગે કડક નિયમો લાગુ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. હરિદ્વારના આશરે 120 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 105 ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં શ્રી ગંગા સભા સાથે સંકળાયેલા કેટલાક અધિકારીઓએ પણ આ સંદર્ભમાં સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે.