વડાપ્રધાન મોદીએ હુમલાની કરી નિંદા, કહ્યું 'ભારત તમામ પ્રકારના આતંકવાદની વિરૂદ્ધ'
September 09, 2025
જેરુસલેમના રામોટ જંકશન પર થયેલી ગોળીબારની ઘટનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિંદા કરી છે. પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યું, "આજે જેરુસલેમમાં નિર્દોષ નાગરિકો પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમે પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે."
વડાપ્રધાને વધુમાં કહ્યું, "ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરે છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિમાં અડગ રહે છે." જેરુસલેમમાં થયેલા આ હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. અહેવાલો અનુસાર, હુમલો કરનારા શંકાસ્પદ લોકોપશ્ચિમ કાંઠાથી આવ્યા હતા. તેઓ સવારે 10 વાગ્યા પછી એક કારમાં જંકશન પર પહોંચ્યા અને બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા લોકો અને ત્યાં ઉભી રહેલી બસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે હાજર એક સૈનિક અને અનેક નાગરિકોએ આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો અને તેમને ઠાર માર્યા. ભારત હંમેશા આતંકવાદનો વિરોધ કરતું આવ્યું છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરતું આવ્યું છે. SCO સમિટ દરમિયાન પણ ભારતે સંગઠનના સભ્ય દેશોને આતંકવાદ સામે સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.
ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં ફાયરિંગ કરનાર હુમલાખોરોને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હુમલાખોર પશ્ચિમી કિનારાના ફિલિસ્તાની છે. પોલીસે તેમની ઓળખ કરી લીધી છે અને આગામી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ફાયરિંગની ઘટના બાદ પીએમ નેતન્યાહૂએ તાત્કાલિક બેઠક બોલાવી છે અને કડક બંદોબસ્ત ગોઠવવા માટે આદેશ આપ્યા છે. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારતા આ ઘટનાની પ્રશંસા કરી છે અને તેને વીરતાપૂર્વકનું અભિયાન ગણાવ્યું છે.
Related Articles
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, મૃતદેહ નહેરમાંથી મળ્યો
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ...
Aug 30, 2026
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, દુકાન પરના ચાઈનીઝ કેમેરાથી વોચ
ભારતમાં પાકિસ્તાનનું જાસૂસી નેટવર્કનો પર...
Aug 30, 2026
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના હિન્દુ-મુસ્લિમવાળા નિવેદન પર કપિલ સિબ્બલ આક્રમક
વિદેશમાં ડહાપણ તો ઘરમાં ચૂપકીદી: ભાગવતના...
Aug 30, 2026
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુક
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને...
Aug 30, 2026
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ, સિસ્ટમ બંધ થતાં હવે 5 સપ્ટેમ્બરે ફરી લેવાશે એક્ઝામ
NEET-PG 2026 પરીક્ષામાં10 વખત બત્તી ગૂલ,...
Aug 30, 2026
Trending NEWS
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
28 August, 2026
28 August, 2026
28 August, 2026