યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાની અફવા : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે ફ્રી રહેશે , કોઈ એમડીઆર નહીં વસૂલાય
August 08, 2026
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર ચાર્જ વસૂલાશે તેવી ચર્ચાઓ વચ્ચે પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સૌથી મોટા ભ્રમને દૂર કરતા સ્પષ્ટતા કરી છે કે સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે યુપીઆઈ ચૂકવણી પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. પીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે 2016 માં યુપીઆઈ શરૂ થયું ત્યારથી સરકાર અને પેમેન્ટ ક્ષેત્રે ગ્રાહકો પાસેથી કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લીધો નથી અને ભવિષ્યમાં પણ કોઈ ચાર્જ વગર ઉપયોગ થઈ શકશે.
નાના દુકાનદારો અને કરિયાણા વેપારીઓ પાસેથી પણ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવા પર કોઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવામાં આવશે નહીં. યુપીઆઈને નાના કારોબારીઓ સુધી ડિજિટલ પેમેન્ટની સુવિધા પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું અને તેમની સુવિધા હંમેશા પ્રાથમિકતા રહેશે. આજે યુપીઆઈ વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની ચૂકી છે અને દર મહિને અબજો ટ્રાન્ઝેક્શન થાય છે.
આટલા મોટા નેટવર્કને લાંબા સમય સુધી મજબૂત અને ટકાઉ બનાવવું એ હવે મૂળ મુદ્દો છે. સિસ્ટમને સુરક્ષિત, મજબૂત અને ટકાઉ રાખવા માટે જરૂરી રોકાણ અને માળખા પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેનાથી ગ્રાહકો કે નાના વેપારીઓ પર કોઈ વધારાનો બોજ પડશે નહીં. પીસીઆઈના જણાવ્યા મુજબ નેશનલ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવવામાં ટેકનોલોજી, સાયબર સુરક્ષા, ગ્રાહક સહાયતા અને નિયમોના પાલન પાછળ સતત ખર્ચ થાય છે, જે હાલમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ ભોગવી રહ્યા છે.
Related Articles
CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા
CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો...
Aug 08, 2026
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સં...
Aug 08, 2026
છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી
છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતા...
Aug 08, 2026
હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી જતાં 8 મુસાફરોના મોત, અનેક ઘાયલ
હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરો ભરેલી ખાનગી...
Aug 08, 2026
આસામમાં સતત વરસાદ અને બ્રહ્મપુત્રના વધેલા જળસ્તરથી 60 વર્ષનું સૌથી ભયાનક પૂર સંકટ, 98ના મોત
આસામમાં સતત વરસાદ અને બ્રહ્મપુત્રના વધેલ...
Aug 08, 2026
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે...
Aug 07, 2026
Trending NEWS
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026