ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર
September 09, 2025
નડિયાદ : ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી કિનારાના રસિકપુરા, નાની કલોલી અને પથાપુરા ગામોમાં કેડસમા પાણી ભરાયા છે. પરિણામે ગામો સંપર્ક વિહોણા બન્યા છે. પૂરના પાણી ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પર પણ ફરી વળતા તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પૂરને કારણે ૧૦ કિલોમીટરના વિસ્તારમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે અને સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ ગંભીર બની છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં છેલ્લા બે દિવસથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા ખેડા તાલુકાના નદી કિનારાના સંખ્યાબંધ ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એક લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડાના રસિકપુરા, નાની કલોલી, અને પથાપુરા જેવા ગામોમાં પાણી ઘૂસી ગયા છે.
આ ગામોમાં હાલ કેડસમા પાણી ભરાયા છે. જેના કારણે આ ગામોનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના કારણે નદીના આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારના ખેતરો પણ જળમગ્ન બન્યા છે. ત્યારે ડાંગર, તમાકુ સહિતના ખેતીના પાક કહોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
Related Articles
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026