Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

યોગીના ઘરની નીચેથી પણ શિવલિંગ મળશે : અખિલેશ યાદવનો કટાક્ષ

December 29, 2024

દિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે દાવો કર્યો છે કે, 'મુખ્યમંત્રી આવાસમાં પણ શિવલિંગ છે. તેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થળો પર ખોદકામની સાથે સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ ખોદકામ કરીને શિવલિંગને સુરક્ષિત બહાર કાઢવામાં આવે.' આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે, 'રાજભવનમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે, પરંતુ સરકાર કોઈ પગલાં લઈ રહી નથી.'


સપાના વડા અખિલેશ યાદવે જણાવ્યું હતુ કે, 'મહાકુંભમાં સ્વેચ્છાએ આવવાની પરંપરા રહી છે. આ માટે કોઈને આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ સરકાર તમામ કામકાજ બાજુ પર મૂકીને મહાકુંભના આમંત્રણો આપવામાં વ્યસ્ત છે. મહાકુંભની તૈયારીઓ અધૂરી છે. પુલનું બાંધકામ પૂર્ણ થયું નથી. રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. હવે 15 દિવસમાં કેવી રીતે કામ પૂર્ણ થશે?' મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિલ્હી જવા અને કુંભ માટે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ નેતાઓને આમંત્રણ આપવા પર અખિલેશ યાદવે સવાલ ઊઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'કુંભમાં આમંત્રણ આપવામાં આવતું નથી. કુંભમાં લોકો પોતાની શ્રદ્ધા સાથે આવે છે. હું કોઈના વિશે કંઈ કહેવા માંગતો નથી. આપણે આપણા ધર્મમાં શીખ્યા અને વાંચ્યા છીએ કે લોકો પોતાની મેળે આવી ઘટનાઓમાં આવે છે. શું આવનારા કરોડો લોકોને આમંત્રણ છે? આ સરકાર અલગ છે. સરકારે કુંભ પહેલા ગંગા એક્સપ્રેસ વે શરૂ કરવાની વાત કરી હતી, પરંતુ તેની શરૂઆત ક્યાંથી થઈ?'