કાવતરા રચવા કરતાં કામ કરીને બતાવો ઃ કેજરીવાલનો મોદી પર પ્રહારો
February 27, 2026
કેજરીવાલે તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'CBI અને EDએ જે 600 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, તેને કોર્ટે અપૂરતી ગણાવી છે.' અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા નથી. જો આ કેસ ચાલ્યો હોત તો 15-20 વર્ષ નીકળી ગયા હોત, પરંતુ કોર્ટે તેને ફર્જી ગણાવીને ફગાવી દીધો છે. કેજરીવાલે સીધો આક્ષેપ કર્યો કે, 'આ આખું ષડયંત્ર અમેરિકન પ્રમુખ સામે ઝૂકનારા નેતાઓએ ઘડ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, આ બંનેએ મળીને આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હતું અને હવે તેમણે દેશની માફી માંગવી જોઈએ.'
પોતાની ઈમાનદારી પર ભાર મૂકતાં કેજરીવાલે કહ્યું, 'મેં જીવનમાં માત્ર ઇજ્જત અને ઇમાનદારી કમાઈ છે, એક નવો પૈસો નથી કમાયો. આજે કોર્ટના આદેશથી સાબિત થઈ ગયું છે કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ કટ્ટર ઇમાનદાર છે. જે રીતે AAPના ટોચના પાંચ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાની ભૂખ માટે આ બધું કરવામાં આવ્યું હતું. જો મોદીજીમાં હિંમત હોય તો દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરાવી જુએ, ભાજપ 10 બેઠકો પણ નહીં જીતી શકે.'
અંતમાં કેજરીવાલે વડાપ્રધાનને સકારાત્મક રાજનીતિ કરવાની સલાહ આપતાં કહ્યું કે, 'જેલમાં મોકલવા કે હત્યાના કાવતરા રચવા કરતાં કામ કરીને બતાવો. જો મેં દિલ્હીમાં 500 સ્કૂલ બનાવી હોય તો તમે દેશમાં 5000 બનાવો, જો મેં મોહલ્લા ક્લિનિક બનાવ્યા હોય તો તમે 20,000 બનાવો. દિલ્હીની જનતા આજે પ્રદૂષણ અને તૂટેલા રસ્તાઓથી પરેશાન છે, કારણ કે કેન્દ્રના ષડયંત્રોએ દિલ્હીનો વિકાસ રોકી દીધો છે.
Related Articles
ભારતની સમુદ્રમાં નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ
ભારતની સમુદ્રમાં નવી તાકાત : 3 શક્તિશાળી...
Jun 21, 2026
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વા...
Jun 21, 2026
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા, થરૂરે પણ આપ્યો વળતો જવાબ
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્...
Jun 21, 2026
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65...
Jun 21, 2026
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની...
Jun 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર...
Jun 20, 2026
Trending NEWS
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
19 June, 2026