શ્રદ્ધા કપૂરે સ્ત્રી-2 ની સફળતાનો શ્રેય જુઓ કોને આપ્યો, 'સ્ત્રી-3' વિશે આપ્યું મોટું અપડેટ!

October 19, 2024

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અત્યારે પોતાની ફિલ્મને લઈને ખૂબ લાઈમલાઈટમાં છે. 'સ્ત્રી 2' ની શાનદાર સફળતા બાદ શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાતી ત્રીજી ઈન્ડિયન બની ગઈ અને હવે તે પોતાની અપકમિંગ ફિલ્મ સ્ત્રી 3 ને લઈને ચર્ચામાં છે. 'સ્ત્રી 2' ની અપાર સફળતાનો શ્રેય કોને આપવામાં આવે તેની પર ચાલી રહેલી ચર્ચા પર પણ એક્ટ્રેસે પૂર્ણ વિરામ આપી દીધું છે. તાજેતરમાં જ તેણે સમગ્ર કાસ્ટ અને ક્રૂ ના વખાણ કરતા ઘણા સવાલના જવાબ આપ્યા છે. એ વાત પર પણ જોર આપ્યુ કે ફિલ્મની સફળતાની પાછળ ટીમની મહેનત હતી. શ્રદ્ધા કપૂરે એ પણ જણાવ્યું કે 'સ્ત્રી 3' પર પહેલેથી જ કામ શરૂ થઈ ગયુ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પણ છે. ફ્રેંચાઈઝની સફળતા વિશે વાત કરતાં શ્રદ્ધાએ કહ્યું, 'પહેલા ભાગને જે રીતે પ્રેમ અને પ્રશંસા મળી, તે અમારી આશા કરતાં ખૂબ વધુ હતી. આ બધું ત્યાંથી શરૂ થયુ. સિક્વલ બનાવવા માટે ડાયરેક્ટર, રાઈટર અને પ્રોડ્યુસરને સલામ. માત્ર દેખાદેખી માટે સિક્વલ બનાવવી જરૂરી નથી. લોકોને થિયેટર સુધી લાવવા અને તેમને કંઈક ખાસ બતાવવાનું હોય છે. તેઓ આ વાત પર ખરા ઉતર્યા કે સિક્વલ કેવી બનાવવી જોઈએ અને સ્ત્રી 2 ની કહાનીને ખૂબ સારી રીતે રજૂ કરી. સક્સેસ ક્રેડિટ વોર જેવું કંઈ હોતું નથી. સૌથી મહેનત હોય છે.' શ્રદ્ધા કપૂરે આગળ કહ્યું, 'મારું માનવું છે કે ટીમની મહેનત અને તમામના પ્રયત્નથી ફિલ્મને સફળતા મળી શકે છે અને હા ફિલ્મ જોયા બાદ અંતમાં દર્શક જ નિર્ણય કરે છે ને કે ફિલ્મ કેવી છે. તે મનોરંજનની શોધમાં પોતાના ઘરેથી નીકળે છે અને અમને ખુશી છે કે અમે તેમને આ આપી શકીએ.' શ્રદ્ધાને જ્યારે સ્ત્રી સિક્વલ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યું કે ડાયરેક્ટર અમર કૌશિક પહેલા જ સ્ત્રી 3 માટે કહાની લઈને આવી ચૂક્યા છે. જ્યારે અમર સરે મને જણાવ્યું કે તેમની પાસે સ્ત્રી 3 માટે એક કહાની છે તો હું ખૂબ ખુશ થઈ ગઈ કેમ કે મને ખબર હતી કે કંઈક ધમાકેદાર થવાનું છે.'