Breaking News :
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા અમેરિકાએ કેનેડા પર 50% ટેરિફ લાદ્યો, ટ્રમ્પે ભેદભાવનો આરોપ લગાવ્યો; બંને દેશો વચ્ચે ફરી ટ્રેડ વૉરની આશંકા જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા હિમાચલ પ્રદેશના કાંગડા-કિન્નૌરમાં વાદળ ફાટ્યું, 18 મકાનો દટાયા, 150 રસ્તાઓ બંધ, અનેક પશુઓના મોત હાઈકોર્ટના આદેશથી મેદાંતામાં દાખલ સોનમ વાંગચુકની તબિયત લથડી, કેન્દ્રીય મંત્રીઓએ હોસ્પિટલ પહોંચીને કરી મુલાકાત આસામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ : 24 કલાકમાં 21ના મોત, 16 જિલ્લાના 5.64 લાખ લોકો પ્રભાવિત

હાઈકોર્ટના આદેશથી મેદાંતામાં દાખલ સોનમ વાંગચુકની તબિયત લથડી, કેન્દ્રીય મંત્રીઓએ હોસ્પિટલ પહોંચીને કરી મુલાકાત

July 22, 2026

જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા ગતિરોધનો ઉકેલ લાવવાની દિશામાં હકારાત્મક હિલચાલ શરૂ થઈ છે. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વાંગચુકની મુલાકાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ પહોંચ્યા હતા. આ બંને મંત્રીઓએ હોસ્પિટલમાં જઈને તેમની સાથે વાતચીતની પહેલ કરી છે, જેના પગલે આગામી દિવસોમાં આ આંદોલન સમેટાઈ જવાની સંભાવનાઓ ઊભી થઈ છે.

વાંગચુકની સતત બગડી રહેલી શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પત્ની ગીતાંજલિ આંગ્મોએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે આ મામલાની ગંભીરતા નોંધીને વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી તાત્કાલિક ધોરણે વધુ સારી સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો. તેમના મેડિકલ રિપોર્ટ મુજબ શરીરમાં પોટેશિયમનું સ્તર ઘટી ગયું છે અને ટીએલસી રિપોર્ટ પણ ચિંતાજનક આવતા તેમને નિષ્ણાત ડોક્ટરોની સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દેશની શિક્ષણ પ્રણાલીમાં જવાબદેહી નક્કી કરવાની પ્રમુખ માંગણી સાથે સોનમ વાંગચુક ૨૮ જૂનથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર ઉતરેલા છે. નીટ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીક અને ગેરરીતિઓના વિરોધમાં તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં સરકાર દ્વારા નક્કર નિર્ણયો લેવામાં આવે તેવો તેમનો આગ્રહ છે.