Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

PMJAY યોજના અંગે સરકાર જાહેર કરશે SOP, આરોગ્યમંત્રી કરશે જાહેરાત

December 22, 2024

અમદાવાદ : રાજ્યમાં PMJAY માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ સરકાર એકાએક જાગી છે. જેમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા  PMJAY યોજનામાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આવતી કાલે સોમવારની સવારે 11 વાગ્યે આરોગ્ય મંત્રી PMJAY યોજનાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની સત્તાવાર જાહેરાત કરશે.


અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરિતી થવાની ઘટના બાદ તંત્રી એક્શનમાં આવ્યું હતું. સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા PMJAY યોજનાની નવી SOPને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જ્યારે હવે આરોગ્યમંત્રી દ્વારા આ મામલે નવી SOP અંગે આવતી કાલે 11 વાગ્યે સત્તાવાર જાહેરાત કરશે. રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજનાની નવી SOP અંગેની જાહેરાત કરવાની તૈયારીમાં છે, ત્યારે આગામી નવી SOPમાં કઈ કઈ બાબતો પર વધુ ધ્યાન આપવામા આવ્યું છે. આ અંગે આવતી કાલે SOP રાજ્ય કેબિનેટમાં મંજૂર થયા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવશે.