'સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી...', વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો
June 04, 2026
દેશભરમાં ચકચારી બનેલા NEET UG 2026 પેપર લીક અને પરીક્ષા રદ થવાના મામલાએ હવે એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. મધ્યપ્રદેશના નવગઠિત જિલ્લા મઉગંજના મગનિયા ગામમાં NEETની તૈયારી કરી રહેલી એક તેજસ્વી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે અને પીડિત પરિવાર ઊંડા સદમામાં છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં આકાંક્ષાને 650 જેટલા સારા માર્ક્સ આવવાની પૂરી આશા હતી અને તે ડૉક્ટર બનવાની ખૂબ નજીક હતી. પરંતુ પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ થતાં તે ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડી હતી.
આકાંક્ષાના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમ છતાં, દીકરીને ડૉક્ટર બનાવવાનું સપનું પૂરું કરવા માટે પિતા કૃષ્ણ કુમાર ચતુર્વેદીએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર 3 લાખ રૂપિયાની લોન લીધી હતી. આકાંક્ષા નાગપુરમાં એક ખાનગી કોચિંગમાં ભણી રહી હતી. દીકરીના ભણતરનો ખર્ચ ઉપાડવા માટે તેના પિતા નાગપુરમાં જ એક હોટલ/ઘરમાં કૂક (રસોઈયા) તરીકે નોકરી કરવા લાગ્યા હતા. સમગ્ર પરિવારને આશા હતી કે આ વખતે આકાંક્ષા સફળ થશે અને પરિવારના દિવસો બદલાશે, પરંતુ પેપર લીકની ઘટનાએ પરિવારની ખુશીઓ છીનવી લીધી.
ઘટનાસ્થળેથી પોલીસને એક અત્યંત ભાવુક સુસાઈડ નોટ મળી આવી છે. આકાંક્ષાએ લખ્યું હતું કે "સોરી મમ્મી-પપ્પા, તમને ભરોસો હતો કે તમારી દીકરી ભણીને ડૉક્ટર બનશે, પણ હવે ફરીથી NEETની પરીક્ષા આપવાની મારામાં હિંમત નથી. મેં આપ બંનેને બરબાદ કરી દીધા. બીજી વખત પરીક્ષા સારી જ જશે, તેની કોઈ ગેરંટી નથી."
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષામાં મોટા પાયે અનિયમિતતા અને પેપર લીકની આશંકા સામે આવી હતી. ત્યારબાદ 12 મેના રોજ આ પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય અને NTA દ્વારા 21 મેના રોજ ફરીથી પરીક્ષા (Re-exam) યોજવાની જાહેરાત કરાઈ હતી. હાલમાં આ સમગ્ર કૌભાંડની તપાસ CBI કરી રહી છે અને અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા પદ્ધતિ બદલવા (પેન-પેપરના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ) માટે સતત અરજીઓ થઈ રહી છે. પરંતુ આ સરકારી અને કાનૂની પ્રક્રિયાઓની વચ્ચે, વ્યવસ્થાની ખામીના કારણે એક હોનહાર વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
Related Articles
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
Trending NEWS
23 June, 2026
23 June, 2026
23 June, 2026
23 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026