ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત
May 29, 2026
ગીર સેન્ચ્યુરીની બહાર આવેલા રેવેન્યુ વિસ્તાર, ખાસ કરીને ગીરગઢડા તાલુકા અને અમરેલીના બાબરીયા વિસ્તારમાં બાળસિંહોના શંકાસ્પદ મૃત્યુને પગલે રાજ્યના વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત નીપજ્યા છે, ત્યારે વન વિભાગ અને અનુભવી વેટરનરી ડૉક્ટરોની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીરી તેજ કરવામાં આવી છે.
ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ)ના શંકાસ્પદ પ્રકોપ અને સિંહોના સતત થઈ રહેલા મોતના પગલે વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં 4 સિંહબાળના કરુણ મોત નીપજતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આમ, એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત થયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. ગીરમાં સિંહબાળના મૃત્યુના પગલે વન વિભાગે સિંહના વેક્સીનેશનની કામગીરી હાથ ધરી છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગત આપતા કહ્યું હતું કે, પ્રાથમિક ધારણા મુજબ બાળસિંહોના આ શંકાસ્પદ મોત ‘બેબિસીયોસિસ’ નામના વાઈરસથી થયા હોવાની આશંકા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા મૃતક બાળસિંહોના સેમ્પલ લઈને તાત્કાલિક ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-GBRC ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3 થી 4 દિવસમાં આવી જશે.
આ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પણ જોડાયેલી છે. અસરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા સિંહોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ઈતરડી નામના જંતુથી ફેલાતા આ રોગને રોકવા માટે ગીર અને તેની બહારના વિસ્તારોમાં મોટા પાયે ‘ડીટીકિંગ’-ઈતરડી નાશક પ્રિવેન્ટિવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
Related Articles
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 1 કરોડ...
May 29, 2026
સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, જનતા દરબારમાં હોબાળો
સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મ...
May 29, 2026
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠા...
May 27, 2026
વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા
વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોત...
May 27, 2026
અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતોના CCTV મળ્યા
અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ:...
May 24, 2026
બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો
બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજે...
May 24, 2026
Trending NEWS
27 May, 2026
25 May, 2026