ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત્ત્વ નથી આપતો: અજિત પવાર
January 11, 2026
મુંબઈ ઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગઠબંધનનું રાજકારણ તેજ બન્યું છે. એક તરફ જ્યાં ઠાકરે બ્રધર્સ એક થયા છે. ત્યાં NCPમાં કાકા ભત્રીજા એક થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. એવામાં અજિત પવારે અટકળો પર મોટું નિવેદન આપતા કહ્યું છે, કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.
અજિત પવારે કહ્યું, કે પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જો બંને NCP એક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો વહેંચાશે નહીં. આ મામલે મેં સુપ્રિયા સુલે અને શશિકાંત શિંદે સાથે પણ ફોન પર વાત કરી હતી અને સામા પક્ષે પણ સકારાત્મક જવાબ મળ્યો છે. શરદ પવારની NCPના ધારાસભ્યો અને સાંસદો મને મળવા આવે ત્યારે પણ તેઓ કહે છે કે હવે બંને પક્ષો એ એક થઈ જવું જોઈએ.
અજિત પવારે વધુમાં કહ્યું, કે પહેલા તો વિપક્ષમાં બેઠેલા સાંસદો અને ધારાસભ્યોના પણ કામ થઈ જતાં હતા. પણ હવે સ્થિતિ અલગ છે. વિપક્ષમાં બેઠા બેઠા નેતાઓ પરેશાન થઈ જાય છે. બંને NCP એક થાય તે માટે હજુ સુધી કોઈ અંતિમ ચર્ચા નથી થઈ. મહારાષ્ટ્રમાં અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ પક્ષોએ ગઠબંધન કર્યા છે. જેના પર કટાક્ષ કરતાં અજિત પવારે કહ્યું, કે રાજ્યના 29 નગર નિગમમાં અલગ અલગ સમીકરણ જોવા મળી રહ્યા છે. કોઈ એક પક્ષે તો AIMIM સાથે ગઠબંધન કરી લીધું. ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે જવાબ આપતા પવારે કહ્યું, કે મેં પણ આવી ચર્ચાઓ સાંભળી છે જેમાં મારું નામ લેવામાં આવે છે. પણ મેં રાજ્ય અને કેન્દ્રના હાઈકમાન્ડ સાથે આ મુદ્દે વાત કરી લીધી છે. તેથી અન્ય નેતાઓની વાતને મહત્ત્વ નથી આપતો.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026