ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત્ત્વ નથી આપતો: અજિત પવાર
January 11, 2026
મુંબઈ ઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગઠબંધનનું રાજકારણ તેજ બન્યું છે. એક તરફ જ્યાં ઠાકરે બ્રધર્સ એક થયા છે. ત્યાં NCPમાં કાકા ભત્રીજા એક થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. એવામાં અજિત પવારે અટકળો પર મોટું નિવેદન આપતા કહ્યું છે, કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વાતચીત થઈ નથી.
અજિત પવારે કહ્યું, કે પૂણેના ઘણા કાર્યકરોનું માનવું છે કે જો બંને NCP એક થઈ જાય તો રાજકીય રૂપે ફાયદો થશે અને મતો વહેંચાશે નહીં. આ મામલે મેં સુપ્રિયા સુલે અને શશિકાંત શિંદે સાથે પણ ફોન પર વાત કરી હતી અને સામા પક્ષે પણ સકારાત્મક જવાબ મળ્યો છે. શરદ પવારની NCPના ધારાસભ્યો અને સાંસદો મને મળવા આવે ત્યારે પણ તેઓ કહે છે કે હવે બંને પક્ષો એ એક થઈ જવું જોઈએ.
અજિત પવારે વધુમાં કહ્યું, કે પહેલા તો વિપક્ષમાં બેઠેલા સાંસદો અને ધારાસભ્યોના પણ કામ થઈ જતાં હતા. પણ હવે સ્થિતિ અલગ છે. વિપક્ષમાં બેઠા બેઠા નેતાઓ પરેશાન થઈ જાય છે. બંને NCP એક થાય તે માટે હજુ સુધી કોઈ અંતિમ ચર્ચા નથી થઈ. મહારાષ્ટ્રમાં અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ પક્ષોએ ગઠબંધન કર્યા છે. જેના પર કટાક્ષ કરતાં અજિત પવારે કહ્યું, કે રાજ્યના 29 નગર નિગમમાં અલગ અલગ સમીકરણ જોવા મળી રહ્યા છે. કોઈ એક પક્ષે તો AIMIM સાથે ગઠબંધન કરી લીધું. ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આરોપો અંગે જવાબ આપતા પવારે કહ્યું, કે મેં પણ આવી ચર્ચાઓ સાંભળી છે જેમાં મારું નામ લેવામાં આવે છે. પણ મેં રાજ્ય અને કેન્દ્રના હાઈકમાન્ડ સાથે આ મુદ્દે વાત કરી લીધી છે. તેથી અન્ય નેતાઓની વાતને મહત્ત્વ નથી આપતો.
Related Articles
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026