Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મહીસાગરના ખાનપુરમાં હડકાયા શ્વાનનો આતંક, છ લોકો અને બે પશુને બચકા ભર્યાં

January 19, 2025

મહીસાગર : મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં, એક જ દિવસમાં હડકાયા શ્વાને છ લોકોને બચકાં ભરતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હાલ, ભોગ બનનારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ હતી કે સ્થાનિક સરકારી દવાખાનામાં શ્વાન કરડે ત્યારે આપવામાં આવતું ઈન્જેક્શન હતું જ નહીં, જેથી ઘાયલોને ગોધરા સિવિલમાં લઈ જવાની ફરજ પડી હતી. બીજી તરફ રખડતા શ્વાનોને લઈને યોગ્ય કાર્યવાહી ન કરવા મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. 
ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. જેમાં એક જ દિવસમાં આ હડકાયા શ્વાસે શાળાના બાળકો તેમજ ઘરકામ કરતી મહિલા સહિત 6 લોકો અને બે પશુઓને બચકાં ભર્યા હતાં. શ્વાનના કરડવાથી તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં રસી ન મળતાં તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.