શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભગવાન નિજ મંદિર પરત ફર્યા
June 28, 2025
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ આજે નગરની યાત્રાએ નીકળ્યા હતાં. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી અને બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન નગરની યાત્રા કરીને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ નિજ મંદિર પરત ફર્યા હતાં. અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા કરીને ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ નિજ મંદિરમાં પરત ફર્યો હતો.
આજે સવારે ભગવાન જગન્નાથને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથયાત્રામાં 18 ગજરાજ, 100થી વધુ ટ્રક, 30 જેટલા અખાડા, 18 જેટલી ભજન મંડળી જોડાઈ હતી. આ ઉપરાંત દેશભરમાંથી આવેતા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતાં. સવારે નીકળેલી રથયાત્રામાં કેટલાક વિઘ્નો આવ્યા હતાં. શહેરમાં ખાડિયા પાસે હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં બે લોકોને ઈજા પણ થઈ હતી. આ ઘટના બાદ ત્રણ ગજરાજોનું રેસ્ક્યુ કરીને નિજ મંદિર લઈ જવાયા હતાં.
રથયાત્રા દરમિયાન વાતાવરણની ઈફેક્ટને કારણે કેટલાક લોકો બિમાર થયા હતાં. જેમાં 108 ઈમર્જન્સી સર્વિસ દ્વારા 35 લોકોને સારવાર અપાઈ હતી. આ લોકોમાં બેભાન, પેટમાં દુ:ખાવો, ચક્કર આવવા વગેરે જેવી ફરિયાદો થઈ હતી. આજે રથયાત્રા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ભગવાનના ત્રણેય રથ શહેરની નગરચર્યા કરીને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ નિજ મંદિરમાં પરત ફર્યા હતાં. આજે ભગવાનને ભક્તોના દર્શન માટે રથમા રાખવામાં આવશે. ભગવાન મંદિરે પહોંચતા જ જય રણછોડનો નાદ ગૂંજ્યો હતો.
Related Articles
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના...
Jun 28, 2026
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસા...
Jun 25, 2026
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ...
Jun 25, 2026
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ...
Jun 24, 2026
Trending NEWS
27 June, 2026
27 June, 2026
27 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
25 June, 2026