શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભગવાન નિજ મંદિર પરત ફર્યા
June 28, 2025
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. ભગવાન જગન્નાથ આજે નગરની યાત્રાએ નીકળ્યા હતાં. રથયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી અને બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન નગરની યાત્રા કરીને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ નિજ મંદિર પરત ફર્યા હતાં. અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા કરીને ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ નિજ મંદિરમાં પરત ફર્યો હતો.
આજે સવારે ભગવાન જગન્નાથને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથયાત્રામાં 18 ગજરાજ, 100થી વધુ ટ્રક, 30 જેટલા અખાડા, 18 જેટલી ભજન મંડળી જોડાઈ હતી. આ ઉપરાંત દેશભરમાંથી આવેતા સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતાં. સવારે નીકળેલી રથયાત્રામાં કેટલાક વિઘ્નો આવ્યા હતાં. શહેરમાં ખાડિયા પાસે હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં બે લોકોને ઈજા પણ થઈ હતી. આ ઘટના બાદ ત્રણ ગજરાજોનું રેસ્ક્યુ કરીને નિજ મંદિર લઈ જવાયા હતાં.
રથયાત્રા દરમિયાન વાતાવરણની ઈફેક્ટને કારણે કેટલાક લોકો બિમાર થયા હતાં. જેમાં 108 ઈમર્જન્સી સર્વિસ દ્વારા 35 લોકોને સારવાર અપાઈ હતી. આ લોકોમાં બેભાન, પેટમાં દુ:ખાવો, ચક્કર આવવા વગેરે જેવી ફરિયાદો થઈ હતી. આજે રથયાત્રા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ભગવાનના ત્રણેય રથ શહેરની નગરચર્યા કરીને રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ નિજ મંદિરમાં પરત ફર્યા હતાં. આજે ભગવાનને ભક્તોના દર્શન માટે રથમા રાખવામાં આવશે. ભગવાન મંદિરે પહોંચતા જ જય રણછોડનો નાદ ગૂંજ્યો હતો.
Related Articles
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપહરણ બાદ બે શખસોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપ...
Jun 28, 2025
ઓનલાઇન ગેમમાં દેવું થતાં વડોદરામાં બે ATM તોડ્યા પણ સફળ ન થયા, ત્રિપુટી પકડાઈ
ઓનલાઇન ગેમમાં દેવું થતાં વડોદરામાં બે AT...
Jun 28, 2025
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની ઓફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઓફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની...
Jun 27, 2025
સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં અપાયો સ્વચ્છતાનો સંદેશ
સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યો...
Jun 27, 2025
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથ...
Jun 27, 2025
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહ...
Jun 27, 2025
Trending NEWS

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025
28 June, 2025
28 June, 2025
28 June, 2025

28 June, 2025
28 June, 2025