મુખ્યમંત્રી પદને લઈને કોઈ નારાજગી કે ઇચ્છા નથી - શિંદે
November 27, 2024

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલું રાજકીય ઘમાસાણ હવે અટકતું નજરે પડી રહ્યું છે. કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતે સ્પષ્ટ કરી દીધું છે કે, મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી ભાજપનો બની શકે છે. શિંદેએ કહ્યું કે, મુખ્યમંત્રી પદને લઈને કોઈ નારાજગી કે ઇચ્છા નથી. તેઓ વડાપ્રધાન મોદી અને અમિત શાહના તમામ નિર્ણયોનું સમર્થન કરે છે. ત્યારે હવે શિંદેની સ્પષ્ટતા બાદ ભાજપ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, 'હું મહાયુતિના સિનિયર અને મહત્ત્વપૂર્ણ લીડર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું. આજે, તેમણે તમામ શંકાઓને દૂર કરી છે. તેમણે લોકોને કહ્યું કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ અંગે જે પણ નિર્ણય વડાપ્રધાન મોદી, અમિત શાહ લેશે તે સૌને માન્ય રહેશે, આ તેમની ભૂમિકા છે જે મહારાષ્ટ્ર અને NDAના હિતમાં અપનાવવામાં આવી છે.' ચંદ્રશેખરે કહ્યું કે, 'એકનાથ શિંદે અને મહાયુતિ પર અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા અને ઘણું જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું પરંતુ આજે તેમણે મહાયુતિ, એનડીએને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હવે જનતાને આપેલા વચનો પૂર્ણ કરવાના છે. જનતા અને ભાજપ તરફથી એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું.'
ચંદ્રશેખરે કહ્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને જ્યારે ઉદ્ધવ ઠાકરેએ દગો આપ્યો હતો. ત્યારે એકનાથ શિંદેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે બાળા સાહેબના હિન્દુત્ત્વના એજન્ડાને આગળ લઈ જવા માટે કામ કર્યું હતું. તેમના સમર્થનથી મહાયુતિની સરકાર બની હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 2014 અને 2019થી બંધ પડેલા પ્રોજેક્ટ શરુ કરાવ્યા અને તેને પૂર્ણ કરવાનું કામ કર્યું. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે સાથે મળીને દેશમાં ક્યાંય ન હોય તેવી યોજનાઓ બનાવી. સમગ્ર રાજ્યમાં જ્યાં કામ અટક્યા હતા તે પૂર્ણ કર્યા.'
Related Articles
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો - સેના
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો -...
May 11, 2025
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો 'સ્પેશિયલ ઝોન
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવ...
May 11, 2025
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવાખોરો, બલૂચિસ્તાનમાં 39 ઠેકાણે કર્યા હુમલા
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવા...
May 11, 2025
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધ...
May 11, 2025
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દિવસના હંગામી જામીન કર્યા મંજૂર
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દ...
May 11, 2025
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણ...
May 11, 2025
Trending NEWS

10 May, 2025