મહાકુંભમાં ઠંડીને કહેર, સ્નાન બાદ નેતા-સંત સહિત ત્રણના મોત, ત્રણ હજારથી વધુ લોકો બીમાર
January 15, 2025
રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, 2025, સોમવારથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ પર પણ તીવ્ર ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. શાહી સ્નાન પછી ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 3 હજારથી વધુ લોકો બીમાર પડ્યા હોવાના સમાચાર છે.
તબિયત બગડવાના કારણે શરદ પવારની પાર્ટીના નેતાના એક મિત્ર 8:30 વાગ્યે સબ સેન્ટ્રલ હોસ્પિટલ ઝુંસી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સાથે કોટા રાજસ્થાનના અન્ય એક વ્યક્તિ સુદર્શન સિંહ પંવારનું પણ મૃત્યુ થયું. સુદર્શન સિંહ પણ તેમના મિત્રો સાથે મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા. સ્નાન કર્યા પછી જ્યારે તેની તબિયત બગડી હતી. ત્યારે તેના મિત્રો તેને ઝુંસીની સબ સેન્ટ્રલ હોસ્પિટલ લઈ ગયા. મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાની શંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. આ સિવાય 85 વર્ષીય અર્જુન ગિરીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું.
આ અંગે સેન્ટ્રલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડૉ. મનોજ કૌશિકે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરી, 2025 ના રોજ 3 હજારથી વધુ લોકો સારવાર માટે ઓપીડી પહોંચ્યા હતા. જેમાંથી 262 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને 37 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ લોકોને મેળા વિસ્તારની ઝુનસી અને અરૈલ હોસ્પિટલોમાંથી SRN રિફર કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 650 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાત્રે 8 વાગ્યા સુધી સેન્ટ્રલ હોસ્પિટલમાં 20 દર્દીઓ દાખલ હતા. તેમાંથી કેટલાક ભક્તો હતા અને કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ હતા. મેળા વિસ્તાર અને સેન્ટ્રલ હોસ્પિટલ અને SRN હોસ્પિટલ વચ્ચે એમ્બ્યુલન્સની અવરજવર સવારથી રાત સુધી ચાલુ રહી.
Related Articles
PM મોદી અને સ્પીકરની AI જનરેટેડ વીડિયો અંગે લોકસભા સચિવાલયે વિશેષાધિકાર ભંગ મામલે કૉંગ્રેસના 9 નેતાને નોટિસ ફટકારી
PM મોદી અને સ્પીકરની AI જનરેટેડ વીડિયો અ...
Feb 17, 2026
ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ્લાસ્ટ, 8-10 વાહનો બળીને થયા ખાખ
ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ...
Feb 17, 2026
જમ્મુ અને કાશ્મીરના 14 પર્યટન સ્થળોને ફરીથી ખોલવામાં આવશે : લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા
જમ્મુ અને કાશ્મીરના 14 પર્યટન સ્થળોને ફર...
Feb 17, 2026
8 રાજ્યમાં વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં ગરમીનો પારો વધવાની શક્યતા
8 રાજ્યમાં વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં...
Feb 17, 2026
બાળ સુરક્ષાથી લઈને આરોગ્ય સંભાળ સહિતની બાબતો પર બદલાવની ચર્ચા
બાળ સુરક્ષાથી લઈને આરોગ્ય સંભાળ સહિતની બ...
Feb 17, 2026
બેંગલુરુ મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરૂણ મોત! કાર-બસની ભયાનક ટક્કર
બેંગલુરુ મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત...
Feb 15, 2026
Trending NEWS
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026