વડોદરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

June 02, 2026

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા.

તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી રાવપુરાની જનતાની સેવા કરી અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનના સમાચારથી સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને ગુજરાતના રાજકારણે અનુભવી નેતા ગુમાવ્યા છે.

ધારાસભ્ય યોગેશ પટેલ 8 વખત ધારાસભ્ય બન્યા

-1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા 

-1995માં તેઓ ભાજપમાં જોડાયા

-રાવપુરા બેઠક પરથી 5 વખત ધારાસભ્ય બન્યા

-માંજલપુર બેઠક પર 3 ટર્મથી ચૂંટાઈ આવતા હતા

-કુલ તેઓ 8 વખત ધારાસભ્ય બન્યા હતા

-કાકાના હુલામણા નામે ઓળખાતા હતા

-રૂપાણીની સરકારમાં રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી રહી ચૂક્યા