હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ્તો?
November 12, 2024

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ સામાન્ય સમસ્યા છે. મોટા ભાગે દરેકના ઘરમાં કોઇ એક વ્યક્તિને તો બીપીની સમસ્યા હોય જ છે. હવે વૃદ્ધોની સાથે સાથે યુવાનોમાં પણ વધી રહી છે. તેનું કારણ છે આપણી અસ્વસ્થ જીવનશૈલી. ખાવાની ખોટી આદતો, ઓછી શારીરિક પ્રવૃત્તિ અને સ્થૂળતા તેની ઘટનાના મુખ્ય પરિબળો છે. પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે જીવનશૈલીમાં સુધારો કરીને તેને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે કારણ કે જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તેનાથી હાર્ટ એટેક આવી શકે છે.
બીપીના દર્દીએ શું કરવુ ?
હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે, તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ દિવસનું પ્રથમ ભોજન એટલે કે સવારનો નાસ્તો છે, જેની સીધી અસર તમારા બ્લડ પ્રેશર પર પડે છે. સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે. તાજેતરના એક અહેવાલ મુજબ જે લોકો નાસ્તો નથી કરતા તેમને હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવના છે, તેથી સવારનો નાસ્તો ક્યારેય ચૂકવો જોઈએ નહીં.
નાસ્તો કેવો કરવો ?
નિષ્ણાંતોના મતે જો તમે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોવ તો તમારે પોષક તત્વોથી ભરપૂર નાસ્તો કરવો જોઈએ. તંદુરસ્ત નાસ્તો કરવાથી તમારા હૃદયને તેનું કામ વધુ અસરકારક રીતે કરવા માટે જરૂરી પોષક તત્વો મળે છે. જે તમારા બ્લડ પ્રેશરને પણ સુધારે છે. તેથી જ્યારે પણ તમે નાસ્તો કરો છો, ત્યારે તેમાં ઘણા બધા પોષક તત્વો હોવા જોઈએ જે તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
નાસ્તો કયા સમયે કરવો
નિષ્ણાતોના મતે તંદુરસ્ત બ્લડ પ્રેશર માટે જાગવાના એક કલાકની અંદર નાસ્તો લેવો જોઈએ. આમ કરવાથી તમારા શરીરને લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે, જે તમારા હૃદય પર ઓછો તાણ લાવે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જાગવાની 30 થી 60 મિનિટની અંદર ખાવાથી કોર્ટિસોલનું સ્તર ઘટે છે, એક તણાવ હોર્મોન, અને ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં સુધારો કરે છે, જે હાઈ બ્લડ પ્રેશર પણ ઘટાડે છે.
સવારે નાસ્તો કરવો જરૂરી
જો તમે નાસ્તો ન કરો તો તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. ખાલી પેટ રહેવાથી એસિડ બને છે જેનાથી ગેસની સમસ્યા થાય છે, બીપી વધવા લાગે છે અને ગ્લુકોઝ લેવલ પણ વધવા લાગે છે. આ સિવાય નાસ્તો છોડવાથી હ્રદય રોગનું જોખમ 21% વધી શકે છે. જો તમે નાસ્તો કરવાનું અવોઇડ કરો છો તો તરત જ આ આદત બદલો અને ચોક્કસપણે નાસ્તો કરો. જો તમે જાગવાના એક કલાકની અંદર નાસ્તો કરી શકતા નથી તો શક્ય બને તેમ જલદી નાસ્તો કરવાનો આગ્રહ રાખો. પણ ઉતાવળમાં નાસ્તો ન કરવો.
Related Articles
રંગભરી એકાદશી : આજે કાશીમાં રંગોત્સવ, બાબા વિશ્વનાથનો થશે ભવ્ય શૃંગાર
રંગભરી એકાદશી : આજે કાશીમાં રંગોત્સવ, બા...
Mar 10, 2025
Trending NEWS

27 June, 2025

27 June, 2025

27 June, 2025

26 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025

25 June, 2025