વૃંદાવનમાં કોરિડોરને લઈને કેમ થયો વિવાદ? ગોસ્વામીઓ સરકારથી નારાજ
June 07, 2025

વૃંદાવન : વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર કોરિડોર પ્રોજેક્ટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરકારની યોજના ભક્તોની સુવિધા માટે 5 એકર જમીન પર કોરિડોર બનાવવાની છે, પરંતુ મંદિરના પૂજારી ગોસ્વામી સમાજ તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. એવામાં જાણીએ કે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે.
બાંકે બિહારી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આ જ સંખ્યા તહેવારો કે રજાઓમાં લાખો સુધી પહોંચી જાય છે. મંદિર સુધી પહોંચવાના સાંકડા રસ્તાઓ અને અતિશય ભીડને કારણે વ્યવસ્થા બગડી જાય છે. આથી સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવા અને શ્રદ્ધાળુઓને રાહત આપવા માટે કોરિડોર બનાવવા માંગે છે.
ગોસ્વામી સમાજ આ કોરિડોરનો સખત વિરોધ કરી રહ્યો છે અને જો આ પ્રોજેક્ટ આગળ વધશે તો તેઓ ઠાકુરજીને લઈને પલાયન થવાની ધમકી આપી રહ્યા છે. એવામાં જાણીએ કે ગોસ્વામી સમાજ આટલો વિરોધ શા માટે કરી રહ્યો છે... ગોસ્વામી સમાજનું કહેવું છે કે મંદિર અમારી ખાનગી સંપત્તિ છે અને સરકાર તેમાં દખલ કેમ કરી રહી છે. જોકે, મહેસૂલી દસ્તાવેજો મુજબ, આ જમીન મંદિરના નામે નહીં, પરંતુ ગોવિંદદેવના નામે નોંધાયેલી છે.
Related Articles
મતદાર યાદીમાં ગોટાળા : ભાજપ પર રાહુલ ગાંધીનો 'મેચ ફિક્સિંગ'નો આરોપ
મતદાર યાદીમાં ગોટાળા : ભાજપ પર રાહુલ ગાં...
Jun 07, 2025
બેંગલુરુ નાસભાગ કેસ: FIRમાં નામ આવ્યા બાદ KSCAમાં એક બાદ એક બે રાજીનામાં
બેંગલુરુ નાસભાગ કેસ: FIRમાં નામ આવ્યા બા...
Jun 07, 2025
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ? ખટ્ટર-શિવરાજ સહિત 3 નામ રેસમાં આગળ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ? ખટ્ટર-શિવરાજ સ...
Jun 07, 2025
સત્યપાલ મલિકની હાલત ગંભીર, ફરી ICUમાં કરાયા દાખલ
સત્યપાલ મલિકની હાલત ગંભીર, ફરી ICUમાં કર...
Jun 07, 2025
સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાની હૉસ્પિટલમાં કરાયા દાખલ
સોનિયા ગાંધીની તબિયત લથડી, શિમલાની હૉસ્પ...
Jun 07, 2025
'મારી ડ્યુટી તો પતી ગઈ, પાયલોટના ઇનકારથી DyCM શિંદે એરપોર્ટ પર ફસાયા
'મારી ડ્યુટી તો પતી ગઈ, પાયલોટના ઇનકારથી...
Jun 07, 2025
Trending NEWS

07 June, 2025

07 June, 2025

07 June, 2025

07 June, 2025

07 June, 2025

06 June, 2025

06 June, 2025

06 June, 2025

06 June, 2025

06 June, 2025