દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે - મોહન ભાગવત
March 20, 2026
નાગપુર ઃ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ઉભું થયું છે, ત્યારે આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિશ્વભરને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. ભાગવતે કહ્યું છે કે, સ્વાર્થી હિત ધરાવનારા લોકો અને વર્ચસ્વ જમાવવાની ઈચ્છા રાખનારાઓના કારણે જ વિશ્વમાં સંઘર્ષ થઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર એકતા, અનુશાસન અને અને ધર્મના પાલનથી જ કાયમી શાંતિ સ્થાપી શકાય છે.
સંઘ પ્રમુખ ભાગવતે આજે RSSના મુખ્ય શહેર નાગપુરમાં હિન્દૂ પરિષદની ઓફિસનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, વિશ્વમાં સંઘર્ષ ટાળવા માટે છેલ્લા 2000 વર્ષથી અનેક વિચારો પર પ્રયોગ કરવામાં આવ્યો, પરંતુ તેમાં ઓછી સફળતા મળી છે. મોહન ભાગવતે અત્યંત ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આજના આધુનિક યુગમાં ધાર્મિક અસહિષ્ણુતા એટલે કે બીજાના ભિન્ન વિચારો, માન્યતાઓ કે રીત-રિવાજો પ્રત્યે આદર ન રાખવો, બળજબરીથી ધર્મ પરિવર્તન અને ઊંચ-નીચની ભાવનાઓ આજે પણ જોવા મળી રહી છે. વર્તમાન સમયમાં વિશ્વ ડગમગી રહ્યું છે. આપણે હાલ આ તમામ પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. યુદ્ધ થવા પાછળનું મુખ્ય કારણ સ્વાર્થ અને વર્ચસ્વની લડાઈ છે. યુદ્ધ શરૂ થવાના મૂળમાં સ્વાર્થી ભાવના છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત માનવતામાં વિશ્વાસ રાખે છે, જ્યારે અન્ય લોકો અસ્તિત્વ માટે સંઘર્ષ કરવામાં વિશ્વાસ રાખે છે. વિશ્વમાં સદભાવનાની જરૂર છે, સંઘર્ષની નહીં. દુનિયા વિનાશને આરે આવી ગઈ છે. યુદ્ધ વચ્ચે અનેક દેશો અવાજ ઉઠાવી રહ્યા છે કે, ભારત જ યુદ્ધને સમાપ્ત કરી શકે છે, કારણ કે વિશ્વના દેશોને ભારતની નીતિ અને પ્રવૃત્તિનું જ્ઞાન છે.
Related Articles
પંજાબ સરકારની મહિલાઓને ભેટ: 'માવાં-ધિયાં સત્કાર યોજના' હેઠળ એકસાથે મળશે 3000 અને 4500 રૂપિયા
પંજાબ સરકારની મહિલાઓને ભેટ: 'માવાં-ધિયાં...
Jun 22, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
અલ નીનોની અસરથી જૂન મહિનો રહ્યો કોરો ધાકોર: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, વાવણીમાં વિલંબની આશંકા
અલ નીનોની અસરથી જૂન મહિનો રહ્યો કોરો ધાક...
Jun 22, 2026
અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પાનાનો રિપોર્ટ તૈયાર, આજે જૂને સુનાવણીની શક્યતા
અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પા...
Jun 22, 2026
ભારતની સમુદ્રમાં નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ
ભારતની સમુદ્રમાં નવી તાકાત : 3 શક્તિશાળી...
Jun 21, 2026
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વા...
Jun 21, 2026
Trending NEWS
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
20 June, 2026