મુંબઈના કાંદિવલીમાં બિલ્ડિંગમાં આગ લાગતા 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે સીડીથી સલામત બહાર કાઢ્યા, સાધનસામગ્રી-ફર્નિચર ખાક
August 17, 2026
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આજે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. કાંદિવલી વેસ્ટમાં સ્ટેશન રોડ પર આવેલી અભિરાઈ હોટેલ પાસે ફૂડ સ્ટોલ અને તેને અડીને આવેલી ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગની જ્વાળાઓ જોવા મળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડને આ અંગે પરોઢિયે આશરે 4.14 વાગ્યે જાણ કરવામાં આવી હતી, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર આ આગને લેવલ-1ની આગ ઘોષિત કરવામાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ફૂડ સ્ટોલમાં આગ લાગી હતી, જેણે ઝપાટાબંધ ઇલેક્ટ્રિક વાયરિંગ, સાધનસામગ્રી, લાકડાના ફર્નિચર, પ્લાસ્ટિક, વાંસ અને તાડપત્રી વગેરેને લપેટમાં લેવાની શરૂઆત કરી હતી. ગણતરીની મિનિટોમાં સ્ટોલમાં લાગેલી આગ એ હદ સુધી ફેલાઈ ગઈ હતી કે તે પાસેની તિરુપતિ બેન્ક્વેટ બિલ્ડિંગના ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી.
ચોથા માળે લગભગ 50 ચોરસ ફૂટ વિસ્તારમાં કપડાં, લાકડાનું ફર્નિચર અને ફોલ્સ સિલિંગ આગની લપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં બિલ્ડિંગના બહારના ભાગમાં લગાવેલી એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકની ડેકોરેટેડ શીટ્સ પણ રાખ થઈ ગઈ હતી. આ કોમર્શિયલ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર 4 ફ્લોર આવેલા હતા.
અગનજ્વાળાઓને કારણે આખી બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં ધુમાડો ભરાઈ ગયો હતો, જેને લીધે બિલ્ડિંગની અંદર રહેલા તમામ લોકો બહાર નીકળવા ભાગવા લાગ્યા હતા અને નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તાકીદે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સેકન્ડ ફ્લોર પર આવેલા લોજિંગ હાઉસમાં 11 લોકો ફસાઈ ગયા હતા, તે તમામને સીડીની મદદથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સદ્નસીબે આ હાદસામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
Related Articles
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનું રાજીનામું, તમામ પદો છોડશે, અધ્યક્ષને કરી વિનંતી
નાણાકીય-અંગત કારણોસર ભાજપ પ્રવક્તા શહેઝા...
Aug 17, 2026
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હોબાળો, ચક્કાજામ કરી CM આવાસ તરફ કૂચ, અનેક રાજ્યોમાં વિરોધ શરૂ
લખનઉમાં શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનો હો...
Aug 17, 2026
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં હોટલમાં ભીષણ આગ...
Aug 17, 2026
ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યાર્થી આંદોલન સફળ, સરકાર વાતચીત માટે તૈયાર થઈ
ઝારખંડમાં JPSC-JSSC ગેરરીતિ મામલે વિદ્યા...
Aug 17, 2026
NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળતા UGC-NETની અંગ્રેજી, કોમર્સ, સમાજશાસ્ત્રની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે
NTAની ફરી ફજેતી ઃ પ્રશ્નપત્રોમાં ભૂલો મળ...
Aug 17, 2026
બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિર બહાર કરંટની અફવાથી નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત, 8 ઘાયલ
બિહારના લખીસરાયમાં અશોકધામ મંદિર બહાર કર...
Aug 17, 2026
Trending NEWS
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
14 August, 2026
14 August, 2026