Breaking News :
ફિફા ટેલિકાસ્ટમાં મોટી સુરક્ષા ચૂક, લાઈવ મેચના કેમેરા અને બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ હેક થઈ જતા દોડધામ 'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ FIFA 2026: ફૂટબોલના ઇતિહાસમાં 68 વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ, એક જ દિવસની ચારેય મેચો થઈ ડ્રો! અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં! ‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!

રામનગરમાં બ્લાઈન્ડ વળાંક પર બસ ખાડામાં ખાબકતા 20 લોકોના મોત અને 20 મુસાફરો ઘાયલ

April 21, 2026

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે સવારે જમ્મુ-શ્રીનગર રોડ પર એક પેસેન્જર બસ ટેકરી પરથી ખાડામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રામનગર વિસ્તારના કાગોર્ટ ગામ નજીક સવારે 10 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. આ બસ એક દૂરના ગામથી ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે રામનગર વિસ્તારમાં વળાંક લેતી વખતે ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી અને ટેકરી નીચે ખાબકી હતી.

બસ ખાડામાં પડતાની સાથે જ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતના સમાચાર ફેલાતા જ નજીકના વિસ્તારોમાંથી સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ ક્ષતિગ્રસ્ત બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને થોડી જ વારમાં પોલીસ તથા અન્ય બચાવ ટુકડીઓ પણ કામગીરીમાં જોડાઈ હતી. તમામનો મુખ્ય ઉદ્દેશ્ય પીડિતોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો અને અકસ્માત સ્થળને સાફ કરવાનો હતો.

બચાવ કામગીરી દરમિયાન બસના કાટમાળમાંથી એક પછી એક મૃતદેહો બહાર આવવા લાગ્યા હતા અને રસ્તા પર લાશોના ઢગલા થઈ ગયા હતા. વાહનના કાટમાળમાંથી કુલ 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા 20 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને ₹2,00,000 અને ઘાયલોને ₹50,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.