ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા
August 24, 2026
શનિવારે ઓડિશાના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં પનામાના ધ્વજવાળું 'એમવી ઓશન વિનર' કાર્ગો જહાજ ડૂબી જતાં 24 ક્રૂ સભ્યો ફસાયા હતા. આ દુર્ઘટનામાં ગણતરીના કલાકોમાં જ 2 ચીની નાગરિકોનો આબાદ બચાવ કરાયો છે, પરંતુ 24 કલાક વીતવા છતાં બાકીના 22 લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. આ જહાજમાં 20 ચીની, 3 મ્યાનમારના અને 1 બાંગ્લાદેશી નાગરિક સવાર હતા. ઘટનાને પગલે ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે ગુમ થયેલા લોકોની શોધખોળ અત્યંત તેજ કરી દીધી છે.
આ જહાજે ગત 20 ઓગસ્ટના રોજ ઓડિશાના પારાદીપ બંદરથી 1,700 ટન આયર્ન ઓર ફાઈન લઈને સિંગાપોર જવા રવાના થયું હતું. જહાજની કુલ કાર્ગો ક્ષમતા 73,000 ટનની છે અને તે અંદાજે 72,000 ટન આયર્ન ઓરનું વહન કરી રહ્યું હતું. દુર્ઘટનાના સમાચાર મળતાં જ મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરે નજીકમાંથી પસાર થતા 'એમટી ઇસોપોસ' નામના વાણિજ્યિક જહાજને ત્યાં મોકલ્યું હતું. આ જહાજે સફળતાપૂર્વક બે ચીની નાગરિકોને બચાવી લીધા હતા, જેમને હાલમાં તબીબી સારવાર આપીને કિનારા તરફ લાવવામાં આવી રહ્યા છે.
ભારતીય નૌકાદળના આંદામાન અને નિકોબાર કમાન્ડના સર્વેલન્સ મિશન પરના પી-8આઈ વિમાનને તાત્કાલિક બચાવ કામગીરીમાં વાળવામાં આવ્યું હતું. આ વિમાનના હવાઈ નિરીક્ષણ દરમિયાન જહાજના છેલ્લા લોકેશન પાસે સમુદ્રમાં બે લાઇફ રાફ્ટ અને તેલના ડાઘ તરતા જોવા મળ્યા હતા, જે જહાજ ડૂબી ગયાની પુષ્ટિ કરે છે. આ ઉપરાંત, ભારતીય કોસ્ટ ગાર્ડે 'વરદ' અને 'અનમોલ' જહાજોને સર્ચ ઓપરેશનમાં લગાવ્યા છે, જ્યારે ત્રીજા જહાજ 'વિજિત'ને શ્રી વિજયપુરમથી બચાવ કામગીરીના સમર્થન માટે રવાના કરવામાં આવ્યું છે.
કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે લાપતા 22 સભ્યો માટે કોઈપણ વિક્ષેપ વિના સતત શોધખોળ ચાલી રહી છે. આ ગંભીર દુર્ઘટના અંગે કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દુઃખ વ્યક્ત કરતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે તમામ સંબંધિત એજન્સીઓ એકબીજા સાથે સંકલન સાધીને કામ કરી રહી છે અને ગુમ થયેલા વ્યક્તિઓને સુરક્ષિત રીતે શોધી કાઢવા એ સરકારની પ્રાથમિકતા છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026