સાતમા તબક્કામાં 11 વાગ્યા સુધી 26% મતદાન, હિમાચલમાં સૌથી વધુ
June 01, 2024

લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં 11 વાગ્યા સુધી સરેરાશ 26.30 ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ ઓડિસામાં વોટિંગ થયું છે.
રાજ્ય | 11 વાગ્યા સુધીમાં મતદાન |
બિહાર | 24.25% |
ચંદીગઢ | 25.03% |
હિમાચલ | 31.92% |
ઝારખંડ | 29.55% |
ઓડિશા | 22.46% |
પંજાબ | 23.91% |
ઉત્તર પ્રદેશ | 28.02% |
પશ્ચિમ બંગાળ | 28.10% |
હિમાચલ પ્રદેશની 4 બેઠકો '400'ને પાર કરવામાં યોગદાન આપશેઃ કંગના રણૌત
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર કંગના રણૌતે મતદાન કર્યા પછી કહ્યું, 'મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ 4 બેઠકો મળશે... હિમાચલ પ્રદેશની 4 બેઠકો '400'ને પાર કરવામાં મદદ કરશે.
લોકશાહી અને બંધારણના રક્ષણ માટે મતાધિકારનો ઉપયોગ કરોઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટમાં લખ્યું, 'લોકતંત્રના આ મહાન તહેવારમાં આજે દેશ છેલ્લા તબક્કામાં મતદાન કરશે. આપ સૌને લોકશાહી અને બંધારણની રક્ષા માટે મોટી સંખ્યામાં તમારા મતદાન અધિકારનો ઉપયોગ કરવા વિનંતી છે. જાતે મત આપવા જાઓ અને તમારા પડોશના લોકોને તમારી સાથે લઈ જાઓ. સરમુખત્યાર હારશે, લોકશાહી જીતશે.'
પૂર્વ ભારતીય ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે જલંધરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. મત આપ્યા પછી, હરભજને કહ્યું કે, 'મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને હું ઈચ્છું છું કે જલંધરમાં વધુમાં વધુ મતદાન થાય. આ આપણી ફરજ છે. એવી સરકાર લાવવી જોઈએ જે લોકો માટે કામ કરી શકે. હું હું બિલકુલ વીઆઈપી નથી, વીઆઈપી કલ્ચરનો અંત આવવો જોઈએ જો કોઈ લંગર માટે કતારમાં ઊભો રહી શકે તો તે અહીં પણ ઊભો રહી શકે છે.'
Related Articles
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્ત...
May 31, 2025
અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ
અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત...
May 31, 2025
મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની 2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી, મંત્રીએ ફોડ પાડ્યો
મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની 2200થી...
May 31, 2025
ભારતની કૂટનીતિક જીત: થરૂરની નારાજગી બાદ કોલંબિયાને ભૂલ સમજાઈ, પાકિસ્તાનને આપેલું સમર્થન પાછું ખેંચ્યું
ભારતની કૂટનીતિક જીત: થરૂરની નારાજગી બાદ...
May 31, 2025
કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં પ્રથમ મોત, 60 વર્ષીય મહિલાએ ગુમાવ્યો જીવ
કોરોનાના નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં...
May 31, 2025
મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભારે પડી, કેલિફોર્નિયાના દરિયામાં ગુમ માહી પટેલનો મૃતદેહ મળ્યો
મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભ...
May 31, 2025
Trending NEWS

31 May, 2025

29 May, 2025