બીજાપુર-નારાયણપુર સીમા પાસે એન્કાઉન્ટરમાં 31 નક્સલી ઠાર, બે વીર જવાનો શહીદ

February 09, 2025

બીજાપુર : બીજાપુર-નારાયણપુર સીમા પાસે રવિવારે (9 ફેબ્રુઆરી) આ અથડામણ થઈ હતી. બંને બાજુથી ભીષણ ગોળીબારમાં મોટી સંખ્યામાં નક્સલીઓના મોત થયા છે. હાલ 12 નક્સલીઓની લાશ મળી આવી છે. અથડામણ દરમિયાન બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ગોળીબારમાં ઘાયલ થયાં છે. આ સિવાય ઘટનાસ્થળેથી ઑટોમેટિક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.
બસ્તર રેન્જ IG સુંદરરાજના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે. બીજાપુર ઈન્દ્રાવર્તી નેશનલ પાર્ક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ શરૂ છે. વળી બીજાપુર SP જીતેન્દ્ર યાદવે કહ્યું કે, ઓપરેશનમાં મારવામાં આવેલાં નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. આ ઓપરેશન મોટું છે અને હજુ ચાલુ છે, બેક પાર્ટી મોકલવામાં આવી છે. નક્સલીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્રના જંગલમાં થઈ હતી. રવિવારે સવારે આ અથડામણમાં મોટી સંખ્યામાં નક્સલીઓની મોતની ખબર સામે આવી હતી.