પહલગામ હુમલા બાદ 48 પર્યટન સ્થળ બંધ, સરકારે લીધો નિર્ણય
April 29, 2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરના ઘણા પર્યટન સ્થળો હાલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીર સરકારે સુરક્ષા એજન્સીઓની ભલામણ પર આ નિર્ણય લીધો છે. આતંકવાદી હુમલાની શક્યતા અંગે ગુપ્તચર ચેતવણીને કારણે કાશ્મીરના 87 પ્રવાસન સ્થળોમાંથી 48 બંધ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહલગામ હુમલા પછી, ખીણમાં કેટલાક સ્લીપર સેલ સક્રિય થઈ ગયા છે અને તેમને પ્રવૃત્તિઓ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.
પહલગામ હુમલા પછી ખીણમાં સક્રિય આતંકવાદીઓના ઘરો ઉડાવી દેવાનો બદલો લેવા માટે TRT દ્વારા મોટા હુમલાના પ્રયાસો તેમજ કેટલીક લક્ષિત હત્યાઓ અંગે સતત ગુપ્તચર ચેતવણીઓ આપવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ ગુલમર્ગ, સોનમર્ગ અને તળાવ વિસ્તારો સહિત અનેક સંવેદનશીલ પર્યટન સ્થળોએ પોલીસના સ્પેશિયલ ઓપ્સ ગ્રુપના ફિદાયીન વિરોધી ટુકડીઓ તૈનાત કરી છે. ખીણમાં આતંકવાદી ઘટના બાદ, સામાન્ય રીતે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
આ હુમલો કાશ્મીરના તમામ ક્ષેત્રોને અસર કરી શકે છે. ખાસ કરીને પર્યટન પર વધુ અસર પડી શકે છે. ત્યાં હોટલ, કંપનીઓ ખોલવા અને ફળોનો વ્યવસાય કરવાનો ઇરાદો ધરાવતા રોકાણકારોનો વિશ્વાસ ડગમગી શકે છે. આનાથી કાશ્મીરની આર્થિક પ્રગતિ પાટા પરથી ઉતરી શકે છે, જે વર્ષોની મહેનત પછી સ્થિર થઈ છે. એટલું જ નહીં, કાશ્મીરના લોકોની આવક પર પણ ઊંડી અસર પડી શકે છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025