કેશોદમાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ, ભૂવા સામે નોંધાઈ ફરિયાદ
January 12, 2025
જૂનાગઢ : જૂનાગઢના કેશોદમાં તાંત્રિક વિધિના નામે એક શખસે મહિલા પર દુષ્કર્મ આચર્યું અને માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના મામલે મહિલાએ પોલીસને જાણ કરતા કેશોદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
મળતી માહિતી મુજબ, જૂનાગઢના કેશોદ તાલુકાના પંચાલા ગામની મહિલા પર તાંત્રિક વિધિના નામે પંચાળા ગામના રણજીત પરમાર નામના શખસે મારામારી કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ બાદ પોતાના પરિવારમાં જાણ કરી હતી અને કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટના અંગે પીડિતાએ જણાવ્યું હતું કે, 'ગત શુક્રવારના સવારે 8:30 વાગ્યે અમે મજૂરી કામ માટે જઈ રહ્યા હતા, ત્યારે રોડ પર એ વ્યક્તિ ભેગા થયા હતા. જેમાં અન્ય મહિલાઓ પણ કઈક પૂછતી હતી, એટલે મે પણ આ વિધિ વિશે પૂછ્યું હતું અને પોતાના ઘરમાં સુખ-શાંતિ અને ધંધામાં વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરવાની ઈચ્છા વાત કરી. આ પછી તાંત્રિક વિધિનું કહીને એ વ્યક્તિ મારા ઘરે આવીને દિવો પ્રગટાવ્યો અને દરવાજો બંધ કરીને મને ઢોર માર માર્યો, પછી મારી પર દુષ્કર્મ કરીને તે જતો રહ્યો...'
પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ આરોપી રણજીત પરમારે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને પીડિતાએ પોતાના ભાભી અને પતિને જાણ કરી હતી અને આ પછી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પીડિતા કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી.
Related Articles
20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ નિધન
20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્...
Feb 06, 2026
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 3ના કમકમાટીભર્યા મોત
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો અ...
Feb 05, 2026
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લા...
Feb 04, 2026
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ
સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી...
Feb 04, 2026
વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ
વડોદરા : હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમા...
Feb 03, 2026
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક્તોએ લીધો શાકોત્સવનો પ્રસાદ
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ૪૫,૦૦૦ હરિભક...
Feb 03, 2026
Trending NEWS
04 February, 2026
04 February, 2026
04 February, 2026
04 February, 2026
04 February, 2026
04 February, 2026
04 February, 2026
04 February, 2026
04 February, 2026
03 February, 2026