નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં
October 27, 2024

અમદાવાદ : નારોલમાં એક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 2 શ્રમિકનાં મોત નિપજ્યાં હોવાની અહેવાલ છે. આ ઘટનામાં નવ વ્યક્તિઓને ગેસની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતર થયું હતું. જેના કારણે 9 લોકો બેભાન થઈ ગયા હતા. જેમને હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં બે વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા જ ઘટનાસ્થળે પહોંચીને ગેસ ગળતર બંધ કરાવવામાં આવ્યું હતું. ચાસમગ્ર ઘટના મામલે હવે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Related Articles
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ...
Jul 07, 2025
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ, માત્ર રોડ જ નહીં ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ,...
Jul 07, 2025
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ...
Jul 07, 2025
ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હાઈ ઍલર્ટ પર
ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હા...
Jul 06, 2025
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈ મોકલાતા 335 કરોડના નાણા વ્યવહારનો પર્દાફાશ
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્...
Jul 06, 2025
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બન્યા
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એ...
Jul 06, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025