વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ નવો તાલુકો બનશે, શંકર ચૌધરીના સંકેત
February 09, 2025

વાવ : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાને લઈને 1 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો. જેમાં નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. જ્યારે થરાદના કીયાલ ગામ ખાતે લોકોને સંબોધિત કરતી વખતે શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું હતું અને વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા હતા.
રાજ્ય સરકારે નવા વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો હતો. જેને લઈને શંકર ચૌધરીએ થરાદના કીયાલ ગામ ખાતે નિવેદન આપ્યું હતું. જેમાં વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના શંકર ચૌધરીએ સંકેત આપતાં તેમણે જણાવ્યું કે, 'આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે અને કીયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારા નજીક કરીશું.'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની 1 જાન્યુઆરી, 2025ના રોજ જાહેરાત કરી હતી. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રીએ વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.
Related Articles
શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભગવાન નિજ મંદિર પરત ફર્યા
શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભ...
Jun 28, 2025
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની ઓફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઓફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની...
Jun 27, 2025
સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં અપાયો સ્વચ્છતાનો સંદેશ
સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યો...
Jun 27, 2025
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથ...
Jun 27, 2025
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહ...
Jun 27, 2025
ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર...
Jun 25, 2025
Trending NEWS

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025

27 June, 2025