Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

અમદાવાદ પ્લેન ક્રેશ : 3 મહિના પહેલા જ એર ઈન્ડિયા પ્લેનનું એન્જિન બદલાયું હતું

June 18, 2025

અમદાવાદ વિમાન અકસ્માતમાં એર ઇન્ડિયાને લઇને એક ચોંકાવનારી વાત સામે આવી છે. 12 વર્ષ જુના આ પ્લેનમાં રાઇડ સાઇટ વાળા એન્જિનને થોડા સમય પહેલા જ રીપેર કરવામાં આવ્યુ હતુ. 3 મહિના પહેલા માર્ચ 2005માં બદલવામાં આવ્યુ છે. અમદાવાદથી લંડન જતા આ પ્લેનનો વિમાન ટેકઓફ થતાની કેટલીક ક્ષણોમાંજ દુર્ઘટનાનો શિકાર બની છે. 12 ક્રૂ મેમ્બર સહિત 242 યાત્રી સવાર હતા અકસ્માતમાં એક માત્ર મુસાફરને છોડીને તમામ 241 લોકોના કરૂણ મોત નીપજ્યા છે.

એર ઇન્ડિયાના આ પ્લેનની જૂન 2023માં ડિટેલ મેન્ટેનન્સની તપાસ થઇ ગઇ હતી. આ વર્ષે ડિસેમ્બરમાં તપાસ કરવાનું નક્કી થયુ હતુ. એપ્રીલમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર માટે એક વિમા કવર 750 કરોડથી વધારીને 850 કરોડ કરી દેવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં થયેલી દુર્ઘટના દેશમાં થયેલી સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.