Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ

July 22, 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ (397 મિમી), નાનાપોંઢામાં 11 ઈંચ, પારડીમાં 9.37 ઈંચ અને વલસાડ શહેરમાં 8.31 ઈંચ વરસાદ નોંધાતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના ઉદવાડા અને પારડી રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર માટીનું ધોવાણ (બ્રિજ/બેંક સ્લાઈડિંગ) થતાં મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વાહનવ્યવહાર ખોરવાયો છે. રેલવે દ્વારા કુલ પાંચ ટ્રેન રદ્દ અથવા તો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

કેટલીક શોર્ટ ટર્મિનેટ કરાઈ

પશ્ચિમ રેલવે દ્વારા માર્ગ પુનઃ શરૂ કરવા માટે ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સુરક્ષાના કારણોસર કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને કેટલાકને રદ્દ કરવામાં આવી છે.

રદ્દ કરાયેલી ટ્રેનો: ઉમરગામ-વલસાડ મેમુ (69153) અને વલસાડ-ઉમરગામ રોડ મેમુ (69154) સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે.

શોર્ટ ટર્મિનેટ કરાયેલી મુખ્ય ટ્રેનો:
કર્ણાવતી એક્સપ્રેસ (12934): અમદાવાદથી ઉપડી વલસાડ સુધી જ ચાલશે.

ડબલ ડેકર એક્સપ્રેસ (12932): અમદાવાદથી ઉપડી નવસારી સુધી જ ચાલશે.

સાયજીનગરી એક્સપ્રેસ (20908): ભુજથી ઉપડી સુરત સુધી જ ચાલશે.

અજમેર-બાંદ્રા ટર્મિનસ SF (12996): અજમેરથી ઉપડી વલસાડ સુધી જ ચાલશે.

બોરીવલી-વલસાડ મેમુ વાપી સુધી અને વડોદરા-દહાણુ રોડ ટ્રેન બિલીમોરા સુધી જ ચાલશે.

શોર્ટ ઓરિજિનેટ (અડધેથી શરૂ થનારી) ટ્રેનો:
બાંદ્રા-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (12933) બાંદ્રાને બદલે વલસાડથી (16:20 વાગ્યે) ઉપડશે.

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર (12931) મુંબઈને બદલે નવસારીથી (17:20 વાગ્યે) ઉપડશે.

દાદર-ભુજ સાયજીનગરી એક્સપ્રેસ (20907) દાદરને બદલે સુરતથી (19:35 વાગ્યે) ઉપડશે.

બાંદ્રા-અજમેર SF (12995) બાંદ્રાને બદલે વલસાડથી (20:15 વાગ્યે) ઉપડશે.

રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે ઘરની બહાર નીકળતા પહેલા નેશનલ ટ્રેન રનિંગ સ્ટેટસ (NTES) એપ અથવા 139 હેલ્પલાઈન નંબર પર ટ્રેનની સ્થિતિ ચકાસી લેવી.