અમદાવાદ પ્લેન ક્રેશઃ એર ઇન્ડિયાના 3 અધિકારીને હટાવવાનો આદેશ
June 21, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહી કરતા DGCAએ એરલાઇન્સના ત્રણ અધિકારીને હટાવવાનો નિર્ણય લીધો છે. ક્રૂના ટાઈમ ટેબલમાં પણ અનિયમિતતાના આરોપો લાગ્યા છે. ગંભીર અનિયમિતતાને કારણે DGCAએ એર ઇન્ડિયાના ત્રણ સિનિયર અધિકારીને તાત્કાલિક અસરથી ક્રૂ શિડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ જવાબદારીઓમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. વારંવાર ગંભીર ભૂલો અને નિયમોના ઉલ્લંઘન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
એર ઇન્ડિયાને ક્રૂ શિડ્યૂલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી અધિકારીઓને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્રણેય અધિકારી સામે તાત્કાલિક આંતરિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને એનો રિપોર્ટ 10 દિવસની અંદર DGCA ઓફિસમાં સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 20 જૂને જારી કરાયેલા આદેશમાં એર ઈન્ડિયાને તાત્કાલિક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખરેખરમાં લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક-ઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ. વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હતું, જેમાં મુસાફરો સહિત કુલ 270 લોકો માર્યા ગયા હતા.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે DGCAના આદેશનો સ્વીકાર કર્યો છે અને એને લાગુ કર્યો છે.
Related Articles
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્ત...
Jun 29, 2026
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશં...
Jun 29, 2026
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે 108 કળશના પવિત્ર જળથી થશે ભગવાનનો જળાભિષેક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે...
Jun 29, 2026
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના...
Jun 28, 2026
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026