Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

મહારાષ્ટ્રમાં અજિત પવારે પણ ફસાવ્યો પેચ ! રાજ્યપાલ-કેન્દ્રીય મંત્રી સહિતની માંગ કરી

December 03, 2024

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જીતવા છતાં મહાયુતિ ગઠબંધન મહામુશ્કેલીનો સામનો કરી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે મહત્ત્વના વિભાગો માંગી રહ્યા છે, તો બીજીતરફ NCPના પ્રમુખ અજિત પવારે પણ મહત્ત્વના મંત્રી પદો માંગી ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે.


સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરવાના છે, જેમાં તેઓ 11 મંત્રી પદ માંગી શકે છે. તેઓ મહારાષ્ટ્રમાં સાત કેબિનેટ અને બે રાજ્યમંત્રી, કેન્દ્રમાં એક કેબિનેટ અને કોઈપણ રાજ્યમાં રાજ્યપાલ પદની માંગણી કરી શકે છે. અજિત પાર્ટીના કોઈપણ વરિષ્ઠ નેતા માટે રાજ્યપાલ પદ અને પ્રફુલ્લ પટેલ માટે કેન્દ્રમાં કેબિનેટ પદ ઈચ્છે છે.


મહારાષ્ટ્રમાં પાંચમી ડિસેમ્બરે શપથગ્રહણ કાર્યક્રમ યોજાવાનો છે. જોકે તે પહેલા સરકારને અંતિમરૂપ આપવા માટે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી દોડધામ જોવા મળી રહી છે. અજિત પવાર સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ દિલ્હીમાં જ રોકાયેલા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. આ પહેલા મહાયુતિના ત્રણે નેતાઓ શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે, ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCP પ્રમુખ અજિત પવારે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મંત્રાલયની વહેંચણી મુદ્દે ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અજિત પવાર નવી સરકારમાં એનસીપીની દાવેદારી સુનિશ્ચિત કરવા ઈચ્છે છે.