વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, મ્યુઝિયમમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ નથી
November 08, 2024
વડતાલ- વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતિક રહ્યું છે. જેમાં વડતાલમાં બનાવવામાં આવેલું અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત વડતાલ આવ્યા હતા. તેથી, ભગવાન સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દ્રશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિક જગતની સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવશે.
આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સિમેન્ટની જગ્યાએ પ્રાચીન પદ્ધતિથી શાસ્ત્રોક્ત રીતે ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે.
આ મ્યુઝિયમમાં 1209 સ્તંભ, 1525 કમાનો, 1920 ફૂટ લાંબો મંડોવર, 74 ઘુમ્મટ, 23 સામરણ અને 1 મુખ્ય ગુંબજ જેના કેન્દ્રમાં સ્વામિનારાયણ ભગવાનની 16 ફૂટ ઊંચી પંચધાતૂની મૂર્તિ વિરાજિત થશે અને 24 અવતારને રિપ્રેઝન્ટ કરતાં વિશાળ મ્યુઝિયમ હોલ બનાવાશે. આ ઉપરાંત સ્વાગત કક્ષ (ઈન્ફોર્મેળન ડેસ્ક) સંત આશ્રમ અને હાઈટેક કન્ઝર્વેશન લેબોરેટરી પણ બનાવવામાં આવશે. મ્યુઝિયમના લેન્ડસ્કેપિંગમાં કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 49 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે. કોલમની વચ્ચે 564 કમાન લગાવ્યા છે. જેમાંથી 400થી વધુ કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે. આ અક્ષર ભુવનનું કામ આશરે ચાર વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે.
આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સિમેન્ટની જગ્યાએ પ્રાચીન પદ્ધતિથી શાસ્ત્રોક્ત રીતે ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે.
આ મ્યુઝિયમમાં 1209 સ્તંભ, 1525 કમાનો, 1920 ફૂટ લાંબો મંડોવર, 74 ઘુમ્મટ, 23 સામરણ અને 1 મુખ્ય ગુંબજ જેના કેન્દ્રમાં સ્વામિનારાયણ ભગવાનની 16 ફૂટ ઊંચી પંચધાતૂની મૂર્તિ વિરાજિત થશે અને 24 અવતારને રિપ્રેઝન્ટ કરતાં વિશાળ મ્યુઝિયમ હોલ બનાવાશે. આ ઉપરાંત સ્વાગત કક્ષ (ઈન્ફોર્મેળન ડેસ્ક) સંત આશ્રમ અને હાઈટેક કન્ઝર્વેશન લેબોરેટરી પણ બનાવવામાં આવશે. મ્યુઝિયમના લેન્ડસ્કેપિંગમાં કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 49 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે. કોલમની વચ્ચે 564 કમાન લગાવ્યા છે. જેમાંથી 400થી વધુ કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે. આ અક્ષર ભુવનનું કામ આશરે ચાર વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે.
Related Articles
અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતોના CCTV મળ્યા
અમદાવાદમાં RBIના 8.70 કરોડની ચોરીનો કેસ:...
May 24, 2026
બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો
બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજે...
May 24, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકસરના પગલાં: મંત્રીઓ-અધિકારીઓના પ્રવાસ પર કાપ સહિત 11 નિયમો જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરકસરના પગલ...
May 20, 2026
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખ્સોએ આ...
May 19, 2026
અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શંકાસ્પદ પેકેટ મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક
અબડાસાના લુણા ટાપુ પરથી અલગ પેકિંગમાં શં...
May 18, 2026
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ક્રૂર હત્યા
સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપના યુવા ને...
May 18, 2026
Trending NEWS
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈનામ'!
23 May, 2026