ખાનગી ક્ષેત્ર અને ન્યાયતંત્રમાં પણ લાગુ કરો અનામત: PM મોદીને પત્ર લખીને તેજસ્વી યાદવની માગ
May 03, 2025

કેન્દ્ર સરકારે દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. જેને ધ્યાનમાં રાખીને, આરજેડી નેતા તેજસ્વી યાદવે પીએમ મોદીને પત્ર લખ્યો છે. જે તેમણે સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. તેજસ્વી યાદવે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે, 'તમારી સરકાર દ્વારા તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત બાદ, હું આજે તમને આશાવાદની ભાવના સાથે લખી રહ્યો છું. વર્ષોથી, તમારી સરકાર અને NDA ગઠબંધન જાતિગત વસ્તી ગણતરીના પ્રસ્તાવને ફગાવી રહ્યા છે, તેને વિભાજનકારી અને બિનજરૂરી ગણાવી રહ્યા છે. જ્યારે બિહારે પોતાના રાજ્યનું જાતિ સર્વેક્ષણ કરવાની પહેલ કરી, ત્યારે સરકાર અને કેન્દ્રીય અધિકારીઓ, જેમાં તમારી પાર્ટીના ટોચના કાયદા અધિકારીનો પણ સમાવેશ થાય છે, તેમણે દરેક પગલા પર અવરોધો ઉભા કર્યા. તમારા પક્ષના સાથીદારોએ આવા ડેટા સંગ્રહની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.' પત્રમાં આગળ લખ્યું છે કે, 'તમારો નિર્ણય એ નાગરિકોની માંગણીઓની સ્વીકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે જેમને લાંબા સમયથી આપણા સમાજના હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. બિહાર જાતિ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે આપણા રાજ્યની વસ્તીના લગભગ 63% OBC અને EBC છે, તેણે યથાસ્થિતિ જાળવવા માટે રચાયેલી ઘણી માન્યતાઓનો પર્દાફાશ કર્યો. દેશભરમાં સમાન પેટર્ન બહાર આવવાની શક્યતા છે.' તેજસ્વી યાદવે લખ્યું કે, 'હું તમને સામાજિક પરિવર્તન માટે વસ્તી ગણતરીના તારણોનો ઉપયોગ કરવામાં રચનાત્મક સહયોગની ખાતરી આપું છું. આ વસ્તી ગણતરી માટે લડનારા લાખો લોકો ફક્ત ડેટા માટે જ નહીં પરંતુ આદર માટે, ફક્ત ગણતરી માટે જ નહીં પરંતુ સશક્તિકરણ માટે રાહ જોઈ રહ્યા છે.' બિહારમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તેથી ભાજપે પહેલેથી જ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. કેબિનેટ દ્વારા લેવામાં આવેલા જાતિ વસ્તી ગણતરીના નિર્ણયથી તેની શરૂઆત થઈ છે. બધા વિપક્ષી પક્ષો લાંબા સમયથી આ માંગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ તેનો શ્રેય લેવા આતુર છે. જોકે, આ નિર્ણયની વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર શું અસર પડે છે તે જોવાનું બાકી છે.
Related Articles
ઓપરેશન સિંદૂર - ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક:PoJKમાં 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો
ઓપરેશન સિંદૂર - ભારતની પાકિસ્તાન પર એરસ્...
May 07, 2025
કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘોડા-ખચ્ચરના મોત
કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘ...
May 06, 2025
પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, ચાર મોત, 40 ઘાયલ
પૂંછમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબક...
May 06, 2025
‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો
‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીન...
May 06, 2025
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણ...
May 06, 2025
જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ
જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત...
May 06, 2025