આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત

June 13, 2026

જોરહાટ : આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી ભારતીય વાયુસેના માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાયુસેનાના એક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ભારતીય વાયુસેનાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જોરહાટ ખાતે આ અકસ્માતની ઘટના બની છે. હાલ આ મામલે પ્રાથમિક વિગતો સિવાય કોઈ વધુ માહિતી ઉપલબ્ધ નથી. વાયુસેના દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને વધુ માહિતીની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.

આ અકસ્માત કેટલો ગંભીર છે અને તેમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.