મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ
June 01, 2025

બંને મંત્રી પુત્રોના 50,000 ના બોન્ડ પર મળ્યા હતા શરતી જામીન મંજૂર
લવારીયા ગામે મનરેગા કૌભાંડમાં કિરણની ભૂમિકા
દાહોદ : દાહોદમાં મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રી પુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કર્યા બાદ હવે બીજા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે. 29 તારીખે જ કોર્ટે મંત્રીના બંને પુત્રોના જામીન મંજૂર કર્યા હતા. ભાણપુર ગામે 33 લાખનું કૌભાંડ આચર્યાની બળવંત ખાબડની રાજ ટ્રેડર્સ એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે, જ્યારે દેવગઢ બારિયા તાલુકાના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
દાહોદ જિલ્લામાં બહુચર્ચિત રૂ.71 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા. બંને મંત્રી પુત્રોના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે 50,000 ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરતા પોલીસે આ જામીન સામે સ્ટે આપવા માટે દાદ મેળવી હતી. કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીનમુક્ત કર્યા હતા.
સાંજે સબ જેલ ખાતે બંને મંત્રીપુત્રો જેલમુક્ત થતા પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો. જ્યારે કિરણ ખાબડની ધરપકડ કરી લીધી હતી. દેવગઢ બારિયાના લવારીયા ગામે મનરેગાના કામોની તપાસ દરમિયાન 79 કામોમાંથી 21 કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવતા જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા. લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખના કૌભાંડમાં જે તે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ તે દિશામાં પોલીસ હવે આગળ વધી છે.
Related Articles
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપહરણ બાદ બે શખસોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
કચ્છના આદિપુરમાં ચકચારી ઘટના, સગીરાના અપ...
Jun 28, 2025
ઓનલાઇન ગેમમાં દેવું થતાં વડોદરામાં બે ATM તોડ્યા પણ સફળ ન થયા, ત્રિપુટી પકડાઈ
ઓનલાઇન ગેમમાં દેવું થતાં વડોદરામાં બે AT...
Jun 28, 2025
શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભગવાન નિજ મંદિર પરત ફર્યા
શાંતિપૂર્ણ રીતે 148મી રથયાત્રા સંપન્ન, ભ...
Jun 28, 2025
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની ઓફિસમાં થઈ પાર્ટી, કંપનીએ 4 સીનિયર ઓફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા
અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયાની...
Jun 27, 2025
સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં અપાયો સ્વચ્છતાનો સંદેશ
સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ: અમદાવાદમાં યો...
Jun 27, 2025
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથ...
Jun 27, 2025
Trending NEWS

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025
28 June, 2025
28 June, 2025
28 June, 2025

28 June, 2025