બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય દાસની જામીન અરજી નકારી, 10 દિવસ જેલમાં મોકલ્યા
November 27, 2024

દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુને બાંગ્લાદેશની કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે.કોર્ટે ચિન્મય દાસને 10 દિવસ જેલમાં મોકલાયા હતા.
મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચિન્મય દાસે મીડિયાને જણાવ્યું કે બાંગ્લાદેશના હિંદુઓને તેમની અપીલ છે કે તેઓ તેમના આંદોલનની પ્રક્રિયા યોજના મુજબ ચાલુ રાખે.
Related Articles
ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલાઈ, વ્હાઇટ હાઉસે કરવી પડી સ્પષ્ટતા
ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલ...
May 16, 2025
ઈઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 93ના મોત, કાટમાળ નીચે અનેક દબાયા
ઈઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 93ના મોત, કા...
May 16, 2025
કોરોનાની નવી લહેર! હોંગકોંગથી માંડી સિંગાપોર સુધી કોરોનાના કેસ વધ્યા
કોરોનાની નવી લહેર! હોંગકોંગથી માંડી સિંગ...
May 16, 2025
ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા, 65 પેલેસ્ટિનિયનના મોત, અનેક ઘાયલ
ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા, 65 પેલ...
May 14, 2025
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણની ખાતરી
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણન...
May 14, 2025
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની આયાતમાં રશિયાનો ફાળો 4 ટકો
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની...
May 14, 2025
Trending NEWS

14 May, 2025