હોળીના દિવસે ભદ્રા સંયોગ: હોલિકા દહન માટે મળશે આટલો સમય, જાણો શુભ મુહૂર્ત
March 11, 2025

ભારતમાં હોળીના પર્વનું વિશેષ મહત્ત્વ રહેલું છે. રંગોના આ તહેવારનો નાના બાળકોથી લઈને યુવાનો તેમજ વડીલો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની પૂનમની તિથિએ હોલીકા દહન કરવામાં આવે છે. આ સાથે હોળીના બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ ગુલાલ લગાવીને ગળે મળે છે અને હોળીની શુભકામના પાઠવે છે.
પૂનમની તિથિનો પારંભ 13 માર્ચ, ગુરુવાર સવારે 10.35 કલાકે
નમની તિથિની સમાપ્તિ 14 માર્ચ, શુક્રવાર બપોરે 12.23 કલાક
હોલિકા દહનની પૂજન વિધિ
- સૌથી પહેલા ગાયના છાણમાંથી હોલિકા અને ભક્ત પ્રહલાદની મૂર્તિ બનાવો અને એક થાળીમાં રાખો.
- પૂજન માટે આટલી જરુરી સામગ્રી તૈયાર કરવી. જેમાં કંકુ, ફૂલ, ચોખા, નારિયેળ, હળદરનો આખો ટુકડો, પતાશા, કાચુ સૂતર, ફળ અને એક લોટો જળ ભરીને તૈયાર રાખો.
- ત્યાર બાદ ભગવાન નરસિંહનું ધ્યાન ધરીને કંકુ, ચોખા, ચંદન અને પાંચ પ્રકારના અનાજ અને ફુલ અર્પણ કરો.
- એ પછી પરિક્રમા હોલિકાની સાત પરિક્રમા કરો. આ સાથે કાચા સૂતરને લઈને હોલિકાની સાત પરિક્રમા કરો.
- છેલ્લે અબિલ- ગુલાલ અર્પણ કરો અને જળ ચઢાવી પૂજા સંપન્ન કરો.
ફાગણી પૂનમના દિવસે આ કાર્યો કરવાથી બચવું
- નકારાત્મક વિચાર અને ક્રોધ કરવાથી બચો. આ દિવસે મન અને વાણી પર સંયમ રાખો. કોઈની સાથે ઝઘડો અથવા ખોટા વચનો બોલવાથી બચો.
- બીજાનું અપમાન ન કરો, આ દિવસ કોઈને નીચા દેખાડવાની કે અપશબ્દો બોલવાથી પાપ લાગે છે.
- માસાંહાર અને નશો કરવાથી બચો. માસાંહાર અને નશા સંબંધિત કોઈ પણ વસ્તુઓનું સેવન કરવાથી બચવુ જોઈએ.
- અશુદ્ધ વસ્ત્રો અને ગંદકી ન રાખો. આ દિવસે ઘર અને શરીરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું.
- રાતના સમયે વાળનો ધોવા અને કાપવાથી બચવુ જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે આવુ કરવું અશુભ માનવામાં આવે છે.
- હોલિકા દહન સમયે ઘરમાં ન રહેવુ. શુભ ફળ પ્રાપ્ત કરવા માટે હોલિકા દહનના સમયે બહાર જઈ અગ્નિની પરિક્રમા કરવી અને તેમા ગોળ તલ અર્પણ કરવું જોઈએ.
- અન્ન અને પાણીનું અપમાન ન કરવું જોઈએ. આ દિવસે ભોજન અને પાણીનો વ્યર્થ ન કરો. કારણ કે, તે દેવી દેવતાનું અપમાન માનવામાં આવે છે.
- ચંદ્ર દર્શન ન કરવાનું ટાળવું. જો કોઈ યોગ હોય તો જ ચંદ્ર દર્શન કરવા.
- ધન અને અનાજ કોઈને ઉધાર ન આપો. આ દિવસે કોઈને ધન અથવા અનાજ ઉધાર આપવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.
Related Articles
શુક્ર ગોચરના કારણે માલામાલ થશે આ 5 રાશિના જાતકો, ધનલાભની સાથે પ્રેમ પણ મળશે
શુક્ર ગોચરના કારણે માલામાલ થશે આ 5 રાશિન...
Apr 17, 2025
ચૈત્રી પૂનમ પહેલા આ 3 રાશિના જાતકો માટે કરિયરમાં ચઢતીના યોગ, ધનલાભ પણ થશે!
ચૈત્રી પૂનમ પહેલા આ 3 રાશિના જાતકો માટે...
Apr 07, 2025
સંભલમાં પહેલીવાર યોજી ભગવા શોભાયાત્રા, રામ મય થયું સમગ્ર અયોધ્યા
સંભલમાં પહેલીવાર યોજી ભગવા શોભાયાત્રા, ર...
Apr 06, 2025
પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં 9 લાખની ચોરી કરી
પૈસા ગણવા આવેલા બેન્કકર્મીએ જ વિશ્વ પ્રસ...
Apr 06, 2025
7 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક: જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે અવશ્ય કરો આ ઉપાય
7 માર્ચથી શરૂ થશે હોળાષ્ટક: જીવનમાં સુખ-...
Mar 01, 2025
30 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત, ક્યારથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે ?
30 એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત, ક્યાર...
Feb 25, 2025
Trending NEWS

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025