ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ, અમદાવાદમાં પણ વરસાદ
June 16, 2025

ભાવનગર : દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં પણ સોમવારે (16મી જૂન) આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ભાવનગરના જેસરમાં માત્ર 4 કલાકના સમયગાળામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઇ હતી. જ્યારે પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી.
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 70 થી વધુ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 6.97 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગરના પાલીતાણામાં 5.94 ઈંચ, મહુવામાં 5.83 ઈંચ, તળાજામાં 3.03 ઈંચ, ભાવનગરના સિહોરમાં 1.81 ઈંચ, અમરેલીના રાજુલામાં 1.69 ઈંચ, વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથ ઉનામાં 1.22-1.22 ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 1.14 ઈંચ, ભરૂચના હાંસોટમાં 1.06 ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં 1.02 ઈંચ ખાબક્યો છે.
જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ખેડા, ભરૂચ, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, નર્મદા, નવસારી, આણંદ, તાપી સહિત વિવિધ જિલ્લાના 59 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે બપોરના સમયે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં શહેરના SG હાઈવે, પ્રહલાદનગર, ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
Related Articles
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળેટૂંપો દઈ હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળ...
Jul 11, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત, તપાસ કમિટી રચાઈ
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃ...
Jul 10, 2025
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 3નાં મોત
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં...
Jul 09, 2025
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ...
Jul 08, 2025
અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ સહિત અમદાવાદમાં 1600થી વધુ ખાડા
અમદાવાદ બન્યું 'ખાડાવાદ': પાલડી,નારણપુરા...
Jul 08, 2025
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ...
Jul 07, 2025
Trending NEWS

09 July, 2025

09 July, 2025
09 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025

08 July, 2025