રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય-અનિલ મિશ્રાને ક્લિનચીટ, યોગી સરકારની SITનો અંતિમ રિપોર્ટ ટ્રસ્ટને સોંપાયો
August 18, 2026
અયોધ્યાના રામ મંદિરના ચઢાવાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે આ મામલે યોગી સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT)નો અંતિમ રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આગળની કાર્યવાહી માટે સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, SITના રિપોર્ટમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને ક્લિનચીટ આપવામાં આવી છે. દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ બંનેની ભૂમિકા અંગે સતત સવાલો ઊઠ્યા હતા અને વિવાદ વધ્યા બાદ બંનેએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા.
યોગી સરકાર દ્વારા રચાયેલી આ SITના અંતિમ રિપોર્ટમાં કુલ 8 આરોપીઓનાં નામ સામેલ કરવામાં આવ્યા છે, જેમની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી. જોકે, આ મામલે તપાસ અહીં અટકી નથી. સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો તે પહેલાં જ ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને 3 સભ્યોની SIT બનાવી હતી, પરંતુ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ રચાયેલી બીજી SIT પણ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
યોગી સરકારની SITનું નેતૃત્વ લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંતે કર્યું હતું, જ્યારે IG (રેન્જ) કિરણ એસ. અને વિશેષ સચિવ (નાણાં) નીલ રતન કુમાર તેના સભ્યો હતા. SITએ 23 જૂને રાજ્ય સરકારને પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોના આધારે 25 જૂને ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદ પર 8 નામજોગ આરોપીઓ અને અન્ય અજ્ઞાત લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં આગળની કાર્યવાહી માટે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામ શંકર યાદવ ઉર્ફે ટીનુના નામ આરોપી તરીકે નોંધાયા છે. તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(A) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, યોગી સરકારની SITના પ્રાથમિક રિપોર્ટના આધારે જ આરોપીઓની ધરપકડ સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની SITની તપાસ હાલ ચાલુ છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026