Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

વલ્લભીપુરમાં ઘેલો નદીમાં ઘોડાપૂર, અંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા

June 17, 2025

છેલ્લા બે દિવસથી ભાવનગરમાં વરસી રહેલા વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. જિલ્લાનાં અનેક ગામડાઓમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ ધોવાઈ ગયાં છે. નદીઓમાં નવા નીરની આવક થતાં બે કાંઠે વહેતી થઈ છે. નદી નાળાના પાણી ગામડાઓમા ઘૂસી જતાં અનેક લોકો ફસાઈ ગયાં હોવાથી તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદે તારાજી સર્જી છે. વલ્લભીપુરના આંતરિયાળ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં છે.

ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતાં નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયાં છે. જેના કારણે નવાગામ,લોલીયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદી ઉફાન પર પહોંચી છે. જેના કારણે આસાપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત પાલીતાણામાં પણ કેટલાક ગામોમાં રસ્તા ધોવાઈ ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.